SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૮ અનુભવાષ્ટક - ૨૬ જ્ઞાનસાર મોહાદિ વિકાર કરાવવા વડે મારા આત્માને કર્મબંધના હેતુઓ છે. માટે મારે તેનાથી દૂર રહેવું જોઈએ. આમ સમજીને પરદ્રવ્યોનો પરદ્રવ્ય તરીકેનો બોધ અને પરદ્રવ્યને તજવાનો એટલે કે તેનાથી દૂર રહેવાનો પરિણામ આ જીવમાં ઉત્પન્ન થાય છે તે કારણથી ઉત્તમ આત્માઓએ પોતાના શુદ્ધ-નિર્મળ આત્મતત્ત્વનો જ બોધ કરવામાં રચ્યાપચ્યા રહેવું જોઈએ. આત્માના શુદ્ધસ્વરૂપની જ વિચારણામાં લાગી જવું જોઈએ. જેના કારણે પરદ્રવ્યો એ પરદ્રવ્યો છે, મારાથી ભિન્ન છે, મારો અને તે પરદ્રવ્યોનો સંયોગમાત્ર છે તાદામ્ય નથી માટે મારે તે દ્રવ્યોમાં રંગાવું જોઈએ નહીં. તે અન્ય દ્રવ્યોનો અને મારા આત્માનો માત્ર સંયોગસંબંધ જ છે. તાદામ્ય સંબંધ નથી. આવી બુદ્ધિ ઉત્પન્ન થશે, તેમ થવાથી સહેજે સહેજે પરદ્રવ્યના બોધમાં મોહદશાપૂર્વક રાચવા-ભાચવાની જે પરિણતિ છે તેના ત્યાગનો ભાવ પ્રગટ થશે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – जे एगं जाणइ, से सव्वं जाणइ । जे सव्वं जाणइ, से एगं जाणइ ॥१२२॥ જે એકદ્રવ્યને બરાબર જાણે છે તે સર્વદ્રવ્યને જાણે છે અને જે સર્વદ્રવ્યને જાણે છે તે જ એકદ્રવ્યને બરાબર જાણે છે (આચારાંગ શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૩, ઉદ્દેશો-૪, સૂત્ર૧૨૨) આ પ્રમાણે હોવાથી જો એક શુદ્ધ આત્મદ્રવ્ય યથાર્થ રીતે સમજાઈ જાય તો મારું પોતાનું સ્વરૂપ શું? પરદ્રવ્યનું સ્વરૂપ શું? તે સમજાતાં પરદ્રવ્યો એ પરદ્રવ્ય છે. અને શુદ્ધ આત્મદ્રવ્ય એ જ સ્વદ્રવ્ય છે. આમ સમજાવાથી પરદ્રવ્યની અંદર જે મારાપણાની મતિ છે તેનો ત્યાગ થાય છે. તેનાથી આત્માનું જલ્દી જલ્દી કલ્યાણ થાય છે. I૪ केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥५॥ ગાથાર્થ - કયા પુરુષોની કલ્પનાશક્તિ રૂપી કડછી શાસ્ત્ર રૂપી ક્ષીરાનનું અવગાહન કરનારી હોતી નથી ? પરંતુ તે ક્ષીરાનના રસના આસ્વાદને અનુભવ રૂપી જીભ વડે માણનારા પુરુષો કોઈ વિરલા જ હોય છે. પા. ટીકા :- “વેષ નેતિ" વર્ષ-પુરુષા/મ્, વફાના-મતિપ્રવૃત્તિરૂપા, ઊંपाककरणचाटुका, शास्त्रमेव क्षीरान्नं-परमान्नं, तस्य गाहिनी-अवगाहिनी न ? । अपि तु अस्त्येवेति । बुद्धिकल्पनया शास्त्रग्राहिणी मतिर्बहूनाम्, परम् अनुभवजिह्वया तद्रसास्वादविदः-तेषां शास्त्राणां रसः तद्रसः, तस्यास्वादः, तस्य विदः-ज्ञानिनः વિરત્ના:-૩ન્યા, શાસ્ત્રાવી ગ્રાફિ : રૂત પI
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy