SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ જ્ઞાનસાર અનુભવાષ્ટક - ૨૬ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । શાનેબૈતાવતા પ્રા., વૃતઃ ચાત્તેપુ નિશ્ચય: Iઝા ગાથાર્થ :- અતીન્દ્રિય પદાર્થો જો તર્કવાદથી જ માત્ર જણાતા હોત તો આટલો બધો કાલ ગયો ત્યારે પંડિતપુરુષો વડે તે પદાર્થોમાં નિર્ણય કરાયો હોત. ૪ ટીકા - “જ્ઞાન્ તિ” ય િથવિતા #ાત્રેનાતિક્રિયા:-ન્દ્રિયવર: પહાથधर्मास्तिकायादयो हेतुवादेन-युक्तिप्रमाणसमूहेन ज्ञायेरन् । एतावता कालेन परमात्मभावश्रवणचिन्तननिदिध्यासनादिना स्वात्मस्वरूपे उपयोगानुभवः कृतः स्यात् । तदा तेषु धर्मास्तिकायादिषु शुद्धात्मनि च निश्चयः कृतः स्यात् प्राज्ञैः । इत्यनेन परद्रव्यचिन्तनकालमात्रेणात्मस्वरूपचिन्तने स्वपरावबोधो भवति परावबोधपरित्यागपरिणतिर्भवति । तेन सद्भिः स्वस्वभावभावने मतिः कार्या, येन निष्प्रयासत एव परावबोधपरित्यागपरिणतिर्भवति । “जे एगं जाणइ से सव्वं जाणइ इति વરસાત્ (સારીશ્રત-, પૃથ્ય-૨, ૩દ્દેશ-૪, મૂત્ર-૨૨૨) વિવેચન :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને શુદ્ધ જીવ તથા પરમાણુ આદિ સૂમ પુદ્ગલદ્રવ્ય, આ પદાર્થો અતીન્દ્રિય છે. પાંચ ઈન્દ્રિયોમાંની કોઈ પણ ઈન્દ્રિય વડે જણાય તેમ નથી. કારણ કે પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ છે. રૂપાદિ ગુણો જ ઈન્દ્રિયગોચર હોવાથી આ ગુણોવાળા ઘટ-પટ આદિ પૂલ પુગલ પદાર્થો જ માત્ર ઈન્દ્રિયથી ગોચર છે. બાકીના ઉપરોક્ત પદાર્થો રૂપાદિ ગુણવાળા ન હોવાથી અને સૂક્ષ્મ હોવાથી અતીન્દ્રિય છે. ઈન્દ્રિયોથી જણાઈ શકે તેવા નથી. તેથી તે પદાર્થો વીતરાગપરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાથી જ સમજવાના હોય છે. આપણી પાસે માત્ર ઈન્દ્રિયજન્ય જ જ્ઞાન છે અને તે પણ અલ્પમાત્રામાં છે. માટે અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં શ્રદ્ધા જ પ્રધાન કારણ છે, તેમાં તર્ક ચાલતો નથી. જો આ અતીન્દ્રિય પદાર્થો ધર્માસ્તિકાયાદિ તર્કવાદથી એટલે કે સેંકડો યુક્તિઓના સમૂહમાત્રથી જાણી શકાતા હોત તો કાળ એટલો બધો ગયો છે કે તે ગયેલા અનંત કાલ વડે “પરમાત્મભાવનું વારંવાર શ્રવણ-ચિંતન અને મનનાદિ કરવા વડે શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનો ઉપયોગપૂર્વક યથાર્થ અનુભવ પણ કર્યો હોત” અને જો આત્મતત્ત્વનો અનુભવ થયો હોય તો ધર્માસ્તિકાય વગેરે શેષ સર્વદ્રવ્યો મારા આત્માથી પર છે. તેનું આવા પ્રકારનું સ્વરૂપ છે. આમ ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોના સ્વરૂપમાં અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવું તે સ્વરૂપ છે તેવો નિર્ણય પણ થઈ ચુક્યો હોત. વિવાદ જેવું કંઈ રહે જ નહીં. કારણ કે ઘણો કાળ ગયો છે. તેમાં તર્ક દ્વારા જ્ઞાની પુરુષોએ અતીન્દ્રિય પદાર્થોનો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy