SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ જ્ઞાનસાર ચરમાવર્તમાં જીવનું બળ વધે છે. વિપાકોદય નિર્બળ થાય છે. આ કારણથી જ્યારે જ્યારે પુણ્ય-પાપ કર્મનો વિપાકોદય આવે ત્યારે ત્યારે રાગી અને દ્વેષી ન થવું, રાગ-દ્વેષ ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવી. llણા साम्यं बिभर्ति यः कर्म-विपाकं हृदि चिन्तयन् । स एव स्याच्चिदानन्द-मकरन्दमधुव्रतः ॥८॥ ગાથાર્થ :- કર્મોના વિપાકને હૃદયમાં વિચારતો જે મહાત્મા “સમભાવને” ધારણ કરે છે તે જ મહાત્મા જ્ઞાનના આનંદની સુવાસ પ્રાપ્ત કરવામાં ભ્રમરતુલ્ય બને છે. આટલા ટીકા :- “સમિતિ” –ચ: સાભાર્થી ઋવિપા-શુમાશુમવિપાદ્ધ વિનાયविचारयन्, हृदि-चित्ते, साम्यं-तुल्यत्वं-इष्टानिष्टतारहितं बिभर्ति, स एव योगी चिदानन्दमकरन्दमधुव्रतः-ज्ञानानन्दस्य मकरन्दः (अथवा ज्ञानानन्द एव मकरन्दः)रहस्यं, तस्य मधुव्रतः-रसास्वादी, स्यात्-भवति । आत्मानन्दभोगी भवति । इत्यनेन आत्मानन्दरसरसिकः शुभाशुभविपाकोदयेन रागद्वेषवान् न भवति, सर्वान् प्रति समवृत्तिर्मुनिः ॥ इत्येवं कर्मविपाकचिन्तनाष्टकं समाप्तम् ॥ ॥८॥ વિવેચન - પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય આ જીવને ઘણો નીચે પણ પછાડે છે અને ઘણો ઊંચો પણ ચડાવે છે. ઊંચે ચડાવીને પણ પછાડે છે અને પછાડીને ઊંચે પણ ચડાવે છે. કર્મોના વિપાકની આવી ઊંટની પીઠ જેવી વિષમ-સ્થિતિ છે ક્યારેય કોઈને ય પણ કર્મનો વિપાક એકસરખો સમાન રહેતો નથી. તેથી હે જીવ ! કર્મના વિપાકથી મળેલી સંપત્તિમાં ફુલાવું નહીં, હર્ષિત થવું નહીં, ગર્વિષ્ઠ થવું નહીં અને વિપત્તિમાં ગભરાવું નહીં, હતાશ થવું નહીં કે મુંઝાવું નહીં. કર્મના વિપાકથી આવેલું ભોગસંબંધી સુખ કે દુઃખ એ તારું નથી, તારું સ્વરૂપ નથી, તારી માલિકીવાળું નથી, તે સુખ અને દુઃખ જેમ વિપાકોદયથી આવ્યું છે તેમ વિપાકોદય સમાપ્ત થતાં અવશ્ય જવાવાળું છે. માગીને ઉછીતા લાવેલા પારકાના દાગીનાતુલ્ય આ સુખ-દુઃખ છે. માટે ખુશ-નાખુશ થવું નહીં. ઉપરની વાત બરાબર સમજીને જે આત્માર્થી મહાત્મા શુભ એવો કર્મનો વિપાક (પુણ્યોદય) કે અશુભ એવો કર્મવિપાક (પાપોદય) તે મારું સ્વરૂપ નથી, હું તો મૂલ્યસ્વરૂપે અનંત જ્ઞાનાદિ ગુણોના આનંદમય છું. જડની સાથે તો મારે સંયોગસંબંધ માત્ર છે. તાદાભ્ય સંબંધ નથી. સાંસારિક સુખ-દુઃખ એ તો શુભાશુભ કર્મોના વિપાક માત્ર છે કાળાન્તરે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy