SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ૨૫ આ આત્માનો જ્યારે શુક્લપક્ષ શરૂ થાય છે ત્યારે સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિઅનંતાનુબંધી કષાયની વિસંયોજના અને શ્રેણી ઈત્યાદિ આરોહણભાવોનો યોગ સંભવતો હોવાથી અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઈત્યાદિ કર્મબંધના હેતુભૂત કલુષિત ભાવોની હાનિ થતી જતી હોવાથી “ચેતનાપર્યાય” (જ્ઞાનપર્યાય) અને વીર્યપર્યાય (ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવા રૂપ ક્રિયાપર્યાય) અતિશય શોભા પામે છે. જ્યારે કૃષ્ણપક્ષ હતો ત્યારે અનાદિકાળથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમભૂત ચેતના પર્યાય અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભત વિર્યપર્યાય મિથ્યાત્વ અને અવિરતિભાવની સાથે એકમેક હોવાથી સંસારનો હેતુ બનતો હતો. પ્રગટ થયેલી સમસ્ત બુદ્ધિ અને મન-વચન-કાયાની સમસ્ત પ્રવૃત્તિ મિથ્યાત્વવાળી, અવિરતિ ભાવવાળી અને કાષાયિક ભાવવાળી હતી. તેથી નિરન્તર કર્મબંધનું જ અને તેનાથી સંસારવૃદ્ધિનું જ કારણ બનતી હતી. તેથી તેવો ચેતના પર્યાય (બુદ્ધિ) અને વીર્યપર્યાય (પ્રવૃત્તિ) શોભા પામતા ન હતા. આત્માને સુખનો હેતુ ન હતો, પણ દુઃખનો જ હેતુ હતો. માટે આ આત્માની આત્મસ્વરૂપને સાધી આપે એવી સાધનાત્મકાવસ્થા (સાધકાવસ્થા) જ પ્રશંસનીય ગણાય. પણ કર્મબંધ કરાવે-સંસારમાં રઝળાવે એવી બાધકાવસ્થા શોભા ન પામે. કૃષ્ણપક્ષમાં બાધકાવસ્થા અને શુક્લપક્ષમાં સાધકાવસ્થા હોય છે. કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે - जेसिमवड्डपुग्गलपरिअट्टो सेसओ य संसारो । ते सुक्कपक्खिया खलु, अवरे पुण किण्हपक्खीया ॥७२॥ (શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૭૨) जो किरियावाई सो, भव्वो णियमा (य) सुक्कपक्खीओ । अंतो पुग्गलपरिअट्टस्स, उ सिज्झइ नियमा । इति दशाश्रुतस्कन्धचूर्णी (षष्ठी दशा अक्रियावादिस्वरूपम् ) જે આત્માઓનો સંસાર અપાઈપુદ્ગલપરાવર્તન માત્ર જ શેષ હોય છે. તે જીવો અવશ્ય શુક્લપાક્ષિક કહેવાય છે અને બાકીના જીવો (કે જેઓનો સંસાર અપાઈપુગલ પરાવર્તનથી અધિક હોય છે તે જીવો) નિયમાં કૃષ્ણપાક્ષિક હોય છે. જે ક્રિયાવાદી જીવો છે તે નિયમા ભવ્ય અને નિયમાં શુક્લપાક્ષિક હોય છે અને અર્ધપુદ્ગલપરાવર્તનકાલમાં નિયમા સિદ્ધિપદને પામનારા હોય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે –
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy