SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક - ૧૮ ૫૪૧ न तस्स दुक्खं विभयंति णाईओ, ण मित्तवग्गा ण सुआ ण बंधवा । इक्को सयं पच्चणुहोड़ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ॥ (ઉત્તરા૦ ૧૩, ગાથા-૨૩) अतः आत्मगुणानन्दपरिणतानां कर्मोपाधिसम्भवे उत्कर्षो न भवति ॥५॥ ધર્મની ધુરાને વહન કરવામાં અર્થાત્ ધર્મનું આચરણ કરવામાં ધન-સ્વજનો અને કામભોગો એ પ્રતિબંધક તત્ત્વ છે. તેથી તેના વડે આત્માને શું ફાયદો ? અમે તો ગુણોના સમૂહને ધારણ કરનારા શ્રમણ થઈશું અને ભિક્ષુક (મુનિ)પણું સ્વીકારીને અપ્રતિબદ્ધભાવે વિચરનારા બનીશું. પાપકર્મ કરનારા જીવને જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિજનો તેના દુઃખનો ભાગ લેતા નથી. મિત્રવર્ગ પણ દુઃખનો ભાગ લેતા નથી, પુત્રો અને બંધુઓ પણ દુઃખનો ભાગ લેતા નથી. એકલો જીવ પોતે જ દુઃખ અનુભવે છે. આ પ્રમાણે કર્મ કેવળ એકલા કર્તાને જ અનુસરે છે. III શુદ્ધા: પ્રત્યાત્મસામ્યન, પર્યાયા: પરિભાવિતા: । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ॥६॥ ગાથાર્થ :- આત્માના પોતાના ક્ષાયિકભાવના જે પર્યાયો છે તે જ શુદ્ધ પર્યાયો છે. પરંતુ તે પર્યાયો પ્રત્યેક આત્મામાં સમાનપણે હોવાથી ઉત્કર્ષ માટે નથી અને પૌદ્ગલિક પર્યાયો પરદ્રવ્યકૃત હોવાથી અપકર્ષ રૂપ છે, માટે અશુદ્ધ પર્યાયો છે. તે મહામુનિને ઉત્કર્ષ માટે કામના નથી. ૫છા ટીકા :– “શુદ્ધા: પ્રત્યાત્મતિ’ મહામુને: નિર્પ્રન્થસ્ય પાજોત્તીળનાત્યાન્તસ્વરવર્ गृहीतात्मस्वरूपस्य शुद्धाः पर्यायाः - सम्यग्ज्ञानचरणध्यानप्राग्भावरूपा आत्मपर्यायाः न उत्कर्षाय भवन्ति । कथं न भवन्तीत्याह-प्रत्यात्मसाम्येन परिभाविताः आत्मानमात्मानं प्रति प्रत्यात्म, तत्र साम्येन तुल्यत्वेन भाविताः । भावना चकिमाधिक्यं मम जातं ? यतः एते ज्ञानादयो गुणाः सर्वात्मनि सन्त्येव, सर्वसाधारणे उत्कर्ष ? इति भाविताशयो नोत्कर्षति, सर्वजीवानां ज्ञानाद्यनन्तपर्यायत्वं तुल्यं सिद्धसंसारस्थयोः न सत्ताभेदः । उक्तञ्च संवेगरङ्गशालाम् - વિવેચન :- આત્મામાં પર્યાયો બે જાતના હોય છે એક શુદ્ધ અને બીજા અશુદ્ધ. જે એક દ્રવ્યના પોતાના પર્યાયો હોય છે તે શુદ્ધ અને જે કોઈ એકદ્રવ્યમાં બીજા દ્રવ્યની મિશ્રતાના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy