SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર આવા પ્રકારનું ભેદજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવ જ કરી શકે છે. કારણ કે તેની જ દૃષ્ટિ વિકાસ પામેલી છે. મોહ ઉપર તે જીવે જ વિજય પ્રાપ્ત કરેલો છે. આ રીતે પોતાના આત્મામાં જ આત્મત્વબુદ્ધિ થવી તે અતિશય દુષ્કર છે. સમયપ્રાભૃત નામના ગ્રંથમાં (સમયસારમાં) કહ્યું છે કે – “કામભોગોના સંબંધની કથા-વાર્તા (પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખોની સારી-નરસી ભોગકથાઓ) આ જીવોએ ભવોભવમાં અનેકવાર સાંભળી છે, પરિચય કર્યો છે અને ઘણો ઘણો અનુભવ પણ કર્યો છે. તેથી તે કામભોગોની સાથે સાથે એકતાનો (અભેદપણાનો) જે ઉપયોગ તે અતિશય સુલભ છે પરંતુ વિભક્તપણાનો (ભદપણાનો) ઉપયોગ આવવો તે સુલભ નથી.” આત્મા જ્ઞાનના આનંદરૂપ છે. રાગ, દ્વેષ, મોહ આદિ ભાવો પરભાવરૂપ છે. રાગાદિ ભાવો આત્માનું સ્વરૂપ નથી, તે રાગાદિ ભાવોથી વિભાગ કરવા રૂપ-આત્મતત્ત્વના સ્વરૂપની રસિકતાનો ઉપયોગ કરોડો ભવોએ પણ મેળવવો અતિશય દુર્લભ છે. ભવોભવના મોહના સંસ્કારથી અભેદબુદ્ધિ થવી સહેલી છે. પરંતુ ભેદબુદ્ધિ પ્રાપ્ત થવી કરોડો ભવો વડે પણ દુર્લભ છે. રા/ शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । विकारैर्मिश्रता भाति, तथात्मन्यविवेकतः ॥३॥ ગાથાર્થ :- શુદ્ધ એવા પણ આકાશમાં આંખની અંદર થયેલા તિમિરના રોગથી જેમ લાલ-લીલી-પીળી રેખાઓ વડે મિશ્રતા-ચિત્રવિચિત્રતા ભાસે છે તેમ શુદ્ધ અને નિર્વિકારી એવા પણ આત્મામાં અવિવેકના કારણે કામ-ક્રોધાદિ વિકારો વડે મિશ્રતા-ચિત્રવિચિત્રતા જણાય છે. ૩. ટીકા :-“શુદ્ધ તિ” યથ-વે પ્રારે, શુદ્ધ વ્યોનિ-માણે તિમિરાત્ चक्षुषि भ्रमतिमिररोगात् रेखाभिर्नीलपीतादिभिः मिश्रता-शबलता-कर्बुरता दृश्यते, तथा-तेनैव प्रकारेण अविवेकतः-असदुपयोगतः विकारैः-रागाद्यशुद्धाध्यवसायैः मिश्रता-एकता भाति-शोभते इति । अनादिविकारविक्रियापरिणतः दृश्यते इत्यनेन निश्चयनयेन निर्विकाराखण्डचिन्मूर्तिः, तथापि परैरैकत्वेन विकाराङ्कितो भासते इति ॥३॥ વિવેચન :- ઉપરનું આકાશ ધારો કે અત્યન્ત ચોખું છે, નિર્મળ છે, વાદળ વિનાનું છે. કોઈ પુરુષ આંખમાં તિમિરના (મોતીયો-ઝામર આદિના) રોગવાળો છે. તેવો પુરુષ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy