SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ વિદ્યાષ્ટક - ૧૪ જ્ઞાનસાર भावितात्मा परमः शुचिः, "बन्धेण न वोलइ कयावि" इति वचनात् सम्यग्दृष्टिरनेनांशेन स्नातकः न पुनः उत्कृष्टां स्थितिं बध्नाति, एतदेव सहजं पवित्रत्वम् ॥५॥ વિવેચન :- દેહથી આત્મા ભિન્ન છે એવા ભેદજ્ઞાનવાળો, સ્વ-પરના વિવેકવાળો તે અંતરાત્મા જ પરમ પવિત્ર છે કે જે સમતાભાવ (રાગ-દ્વેષ વિનાની અવસ્થા એટલે સમભાવ) રૂપી કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મેલનો ત્યાગ કરીને એવી નિર્મળ અવસ્થાને પામે છે કે જે ક્યારેય ફરીથી મલિનતાને પ્રાપ્ત કરતો નથી એવો સમ્યક્ત્વગુણથી વાસિત થયેલો આત્મા જ પરમપવિત્ર આત્મા છે. આવો સમ્યગ્દષ્ટિ આત્મા સ્થિતિબંધનું ક્યારે પણ ઉલ્લંઘન કરતો નથી અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મોની અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક ૨૦-૩૦-૪૦-૭૦ કોડાકોડી સાગરોપમ જેવી ઉત્કૃષ્ટસ્થિતિ આ જીવ ક્યારે પણ બાંધતો નથી. એટલા અંશે આ સમ્યગ્દષ્ટિ આત્મા સ્નાતક (પરમ પવિત્ર) બન્યો છે. ફરીથી ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિવાળું કર્મ બાંધતો નથી એ જ તેનું સ્વાભાવિક અને સાચું પવિત્રપણું છે. આ શરીર મલીન ધાતુઓનું બનેલું છે. મલીન પદાર્થોથી ઉત્પન્ન થયેલું છે. તમામ છિદ્રોમાંથી અશુચિ વહ્યા જ કરે છે. તેને સ્પર્શેલો પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે. માટે દેહને જલાદિથી પવિત્ર કરવાની જે બુદ્ધિ છે તે મિથ્યાભ્રમ માત્ર જ છે. શરીરને ગમે તેટલું પવિત્ર કરો તો પણ ગંદકીનો ઉકરડો જ હોવાથી તે પવિત્ર બનવાનું જ નથી વાસ્તવિક તો આત્માને જ પવિત્ર કરવાનો છે અને તે થઈ શકે તેમ છે. રાગ-દ્વેષ વિનાની સમભાવવાળી અવસ્થા રૂપ સમતાના કુંડમાં સ્નાન કરવાનું છે અને બાંધેલા પાપો રૂપી મેલનો નાશ કરવાનો છે. તેનાથી આ આત્મા એવો શુદ્ધ-બુદ્ધ-પવિત્ર બને છે કે ફરીથી ક્યારેય પણ મલીનતાને પામતો નથી. આમ આત્મા મોહોદયથી અપવિત્ર બન્યો છે અને મોહાદિ વિકારોનો નાશ કરતાં આત્મા પવિત્ર બની શકે છે અને તે જ સાચી પવિત્રતા છે. પા આત્મવોધો નવ: (નવ:) પાશો, વેધનાવિયું । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धाय जायते ॥६॥ ગાથાર્થ :- હે ભવ્યજીવો ? આત્મજ્ઞાન એ તમારા બંધનો હેતુ નથી, અર્થાત્ દેહ, ગેહ અને ધનાદિને વિષે પોતાપણાના પરિણામ રૂપ જાળ પદાર્થોના બંધનો હેતુ બનતો નથી પણ તેઓને વિષે (દેહાદિને વિષે) આત્મા વડે નંખાયેલો (કલ્પાયેલો) આ પાશ પોતાના જ બંધનને માટે થાય છે. દા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy