SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર તે છે, બધું જ છે. હું બહુ જ સુખી છું. આવા પ્રકારના મોહજન્ય વિકલ્પો દ્વારા પરદ્રવ્યસંબંધી જે પૂર્ણતા છે) તે પૂર્ણતા તરંગો વડે સમુદ્રની પૂર્ણતા તુલ્ય છે. જ્યારે જ્યારે સમુદ્રમાં ૮૧૦-૧૫ ફુટના પાણીનાં મોજાં ઉછળે છે. ત્યારે ત્યારે સમુદ્ર ઘણા-ઘણા પાણીથી ભરપૂર ભરેલો લાગે છે. પણ તે ક્ષણિક જ હોય છે. તે પૂર્ણતા કાયમ ટકતી નથી. વાયુનું તોફાન બંધ થતાં આ પૂર્ણતા ચાલી જાય છે. તેમ પુણ્યોદય થવાના કારણે પ્રાપ્ત થયેલી બાહ્યપદાર્થોથી જે પૂર્ણતા છે તે પણ રાગાદિ કરાવનારી, ઝઘડા કરાવનારી, ક્લેશ કરાવનારી, દુઃખદાયી અને અંતે પુણ્યોદય સમાપ્ત થતાં જ નાશવંત છે. માટે અવાસ્તવિક છે. મોજાં વડે ઉછળતો સમુદ્ર જેમ અગ્રાહ્ય (ન માપી શકાય તેવો) હોય છે અને અનવગાહ્ય (અંદર ન ઉતરી શકાય તેવો) હોય છે તેવી જ રીતે મોહક પદાર્થો ઉપરનો રાગ અને તેમાં વિદન કરનારા ઉપરનો દ્વેષ ઈત્યાદિ વિકારો, વાસનાઓ અને ક્લેશો રૂપી તરંગોથી ભરપૂર ભરેલો આ આત્મા પણ શુદ્ધાત્મત્ત્વ પ્રાપ્ત કરવા માટે અગ્રાહ્ય અને અનવગાહ્ય બને છે. પરપદાર્થો પ્રત્યે રાગાદિ ભાવવાળો મોહબ્ધ બનેલ આ આત્મા સાચું તત્ત્વ પામવા માટે અયોગ્ય બને છે. તુ''-પુન:, “પૂનઃ ”—માત્મયાનન્તસંઘવીસ્વીરૂપ-નિષ્પનપરમાત્મवस्थारूपः भगवान् परमैश्वर्यरूपः स्तिमितोदधिः स्थिरोदधिः, तेन सन्निभः सदृश इति । अतः चलत्वं विहाय अचलतया भवितव्यम्, आत्मा आत्मस्वभावस्थः निर्विकल्पो भवति, तत्साधनाय यतितव्यमित्यर्थः ॥३॥ પરંતુ પોતાના આત્માના અનંત ગુણોની સંપત્તિના આસ્વાદન રૂપે પ્રગટ થઈ છે પરમાત્મદશા જેને એવો આત્મગુણના પરમ ઐશ્વર્યવાળો ભગવાન સ્વરૂપ આ આત્મા મોહદશાના વિકલ્પ વિનાનો બન્યો છતો, તરંગો વિનાના સમુદ્ર તુલ્ય અત્યન્ત શાન્ત (સ્થિર) બને છે. તેથી જ અસ્થિરતાનો ત્યાગ કરીને હે આત્મન્ ! તારે સ્થિર થવું જોઈએ. સારાંશ કે આ આત્મા જ્યારે આત્મસ્વભાવમાં વર્તનારો બને છે ત્યારે મોહના વિકલ્પ વિનાનો થવાથી સ્થિર બને છે. માટે તેવી સ્થિરતા સાધવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. આ જીવને જ્યાં સુધી પરપદાર્થો તરફ પ્રીતિવિશેષ હોય છે ત્યાં સુધી મારે આ જોઈએ છે અને મારે તે જોઈએ છે. આના વિના ન ચાલે અને તેના વિના ન ચાલે એમ માનસિક વિકલ્પો દ્વારા ચિત્ત સદાકાલ ચંચળ-અસ્થિર રહે છે અને તેનાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિ થવા દ્વારા રાગ-દ્વેષ થવાથી ક્લેશ-કડવાશ-વેરઝેર આદિ દોષોવાળો જ આ જીવ રહે છે. તેથી પર પદાર્થો તરફની પ્રીતિ ત્યજીને આત્માના સ્વભાવભૂત ગુણસંપત્તિને જ “સાચું મારું
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy