SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨ ૩૫૭ સર્વની પાસે પ્રાર્થના કરાય છે. પરંતુ અપરિમિત જ્ઞાનના ભંડાર અને સ્પૃહા વિનાના મુનિને આખું ય આ જગત તૃણસમાન છે. ॥૨॥ = ટીકા :- “સંયોનિતર: કૃતિ'', મૃદાવર્તે:-કૃચ્છામને: પુરુષ: જે જે નના: परिग्रहभारभुग्ना न प्रार्थ्यन्ते न याच्यन्ते ? किम्भूतैः स्पृहावहैः ? - संयोजितौ करौ येषां ते संयोजितकराः तैः इत्यनेन विषयाशालोलुपैः अनेकान्यनृपसेवनोद्यतैः भवितव्यं भवति । मात्रा - मानं, तेन रहितममात्रं च तत् ज्ञानं च अमात्रज्ञानं, तस्य पात्रं = સ્થાનમ્, તસ્ય સાધો:-નિ:સ્પૃહસ્ય-વૃદારહિતસ્ય નાત્ તૃળ-તૃળપ્રાયમ્, परभावेच्छा મુક્તસ્ય નિર્પ્રન્થય નાત્ તૃળ-નિ:સાર, સારં-સ્વાત્મસ્વરૂપમ્ । ગાથા વિવેચન :- પરપદાર્થોની સ્પૃહાવાળા (પૌદ્ગલિક સુખ-સામગ્રીની ઈચ્છાવાળા) ભોગભુખ્યા જીવો વડે પરિગ્રહના ભારથી (ધન-ધાન્યાદિ પૌદ્ગલિક સામગ્રીના ભારથી) દબાઈ ગયેલા એવા અર્થાત્ ધન-ધાન્યાદિ સામગ્રીવાળા કયા કયા પુરુષો પાસે પ્રાર્થના કરાતી નથી ? ગમે તેવી હલકી કોમના હોય, ગમે તેવી હલકી પ્રકૃતિના હોય, ગમે તેવા તોછડા વર્તનવાળા હોય તો પણ આવા પ્રકારના તુચ્છ માણસો પાસે પણ આશાવાળા જીવો હાથ જોડી જોડીને કરગરતા દેખાય છે. ભાઈસાહેબ ! ભાઈસાહેબ ! કહીને આવા અનુચિત માણસોની પાછળ ફરતા સ્પૃહાળુ જીવો આ સંસારમાં દેખાય છે. સ્પૃહાવાળા જીવો પોતાની આશા પૂરાશે એમ સમજીને હલકા માણસો પાસે હાથ જોડીને પગે પડીને ભીખારીની જેમ વસ્તુની યાચના કરતા કરગરતા દેખાય છે. આ યાચના કરનારા સ્પૃહાલુ જીવો કેવા હોય છે ? જોડેલા છે બન્ને હાથો જેણે તેવા અર્થાત્ બન્ને હાથો જોડીને, માથું નમાવીને તે સ્પૃહાવાળા પુરુષો કોની કોની પાસે વસ્તુઓની યાચના નથી કરતા ? માટે આ સ્પૃહા એ જ જીવને જગતનો દાસ બનાવનારી ચીજ છે. આમ કહેવા દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે પાંચે ઈન્દ્રિયોના વિષયોની આશામાં લોલુપી બનેલા આત્માઓને અન્ય = નવા નવા અનેક રાજાઓની અથવા શેઠીઓની સેવામાં ઉદ્યમશીલ થવું જ પડે છે. ધનાદિની અપેક્ષાવાળા પુરુષો હાથ જોડીને ધનાદિના ભારવાળા પુરુષોની સેવા કરતા દેખાય છે. ધિક્કાર છે આ સ્પૃહાને કે જે મોટા (ગૌરવશાલી) માણસને પણ હલકા માણસનો દાસ બનાવે છે. આવું છે આ સ્પૃહાનું સ્વરૂપ. પરંતુ અમાત્ર = અમાપ-અપરિમિત અર્થાત્ અતિશય ઘણું જ છે જ્ઞાન જેને એવા અમાપ જ્ઞાનના પાત્ર એવા અને જે સ્પૃહા વિનાના મુનિ છે. જે આત્માને કોઈ પૌદ્ગલિક વસ્તુની અપેક્ષા નથી તેવા મહાત્માઓને આખું ય આ જગત તૃણતુલ્ય છે તેની સામે કોઈ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy