SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ ૨૮૫ મોહનીયના ઉદયથી થતા રાગ અને દ્વેષથી કરાતી ધર્મક્રિયા પુણ્યબંધ કરાવે પણ સંસારની રખડપટ્ટી ઘટાડનારી બનતી નથી. પરંતુ પરિભ્રમણ વધારનારી બને છે. માટે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. ॥૬॥ पुनस्तदेव दर्शयति ફરીથી તે જ વાત વધુ દૃઢ કરે છે. गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥७॥ ગાથાર્થ :- આ કારણથી પ્રાપ્ત થયેલા ગુણોની વૃદ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી સ્ખલિત ન થઈ જવાય તે માટે ક્ષાયોપમિક ભાવની ધર્મક્રિયા કરવી જોઈએ, કારણ કે એક જ સંયમસ્થાન હોય એવું તો કેવલીભગવંતોને જ બને છે. IIII = ટીકા :- “મુળવૃચ કૃતિ', તત:-સ્વધર્મપ્રભાવહેતુત્વાત્ યિાં-સત્પ્રવૃત્તિ યંત્। મિર્થમ્ ? મુળવૃત્રૈ-મુળા: જ્ઞાનાવ્ય:, તેષાં વૃદ્ધિઃ, તથૈ, गुणप्रोल्लासार्थमिति । न ह्याहारादिपञ्चदशसङ्ज्ञानिमित्तम् । पुनः अस्खलनायअप्रतिपाताय, क्रियारहितः साधकत्वेऽवस्थातुमशक्तः, यतो वीर्यस्य चापल्यं, तच्च क्रियावतः सत्क्रियानियुक्तं प्रतिपाताय न भवति । अन्यथा चानादिप्रवृत्तिप्रवृत्तः स्खलनाय भवति । क्रिययोत्तरोत्तरस्थानारोहणञ्च श्रूयते आगमे । तथा च एकमप्रतिपातिसंयमस्थानं जिनानां क्षायिकज्ञानचारित्रवतामेकं पूर्णस्वरूपैकत्वरूपं स्थानमवतिष्ठते नान्यस्य । વિવેચન :- ક્રિયા એટલે સત્પ્રવૃત્તિ, પંચાચારનું પાલન, અર્થાત્ રત્નત્રયીની સાધના, તે ધર્મક્રિયા આત્માના અનંતગુણાત્મક ધર્મનો આવિર્ભાવ (પ્રગટીકરણ) કરવાનો હેતુ હોવાથી અવશ્ય કરવી જોઈએ. પ્રશ્ન :- આવી સત્પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ ? કરવાનું પ્રયોજન શું ? ઉત્તર :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ આત્માના જે શુદ્ધ ગુણો છે, તે ગુણોની વૃદ્ધિ માટે સત્પ્રવૃત્તિ સ્વરૂપ ક્રિયા કરવી જોઈએ, આત્માના મોહનાશક એવા સમ્યગુણોના વિકાસ માટે સત્પ્રવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ. જે ધર્મક્રિયા આહારાદિ પંદર મોહની સંજ્ઞાનું નિમિત્ત નથી બનતી તે ધર્મક્રિયા અવશ્ય આચરવી જોઈએ. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ એક કારણ ધર્મક્રિયા કરવાનું સમજાવ્યું.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy