SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૨૭) ક્રિયાષ્ટક - ૯ પ્રાપ્તિ (એટલે કે ગુણોની પૂર્ણતાની પ્રાપ્તિ) થાય તેની પૂર્વકાલમાં આ પંચાચારની આચરણા (પંચાચારના પાલનની ક્રિયા) અવશ્ય કરવી જોઈએ. આવા પ્રકારની આચરણાથી ગુણોનું પ્રાગટ્ય અવશ્ય થાય જ છે. ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થયા પછી એટલે કે પૂર્ણગુણોની પ્રાપ્તિ થયા બાદ ગુણપ્રાપ્તિ માટે કે ગુણવૃદ્ધિ માટે કે ગુણોની શુદ્ધિ માટે ક્રિયા કરવાની રહેતી નથી. માત્ર પરોપકાર કરવા માટે જ યથોચિત આચરણા હોય છે. પોતાને તો પૂર્ણ-ગુણનિષ્પત્તિ થઈ જ ગઈ છે. માટે સ્વગુણની પ્રાપ્તિ માટે હવે ક્રિયા સંભવતી નથી. પરોપકાર માટે જ પ્રવૃત્તિ કરે છે. આ કારણથી જ કહેવાય છે કે - ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥१॥ ગાથાર્થ - જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, ભાવિત છે આત્મા જેનો, જીતી છે ઈન્દ્રિયો જેણે એવો આત્મા સ્વયં પોતે સંસાર સમુદ્રથી તરેલો છે અને પરને તારવાને સમર્થ છે. ll૧il ટીકા :- “જ્ઞાની ક્રિયાપર” રૂત્તિ, જ્ઞાની યથાર્થતત્ત્વસ્વરૂપવિવોથી, એ ક્રિય= साधनकारणानुयायियोगप्रवृत्तिरूपा, स्वगुणानुयायिवीर्यप्रवृत्तिरूपा, तस्यां तत्परःउद्यतः, पुनः शान्तः-कषायतापरहितः, भावितात्मा-भावितः शुद्धस्वरूपरमणमयः आत्मा यस्य सः भावितात्मा, जितेन्द्रियः-पराजितेन्द्रियव्यापारः, भवाम्भोधेः= भवसमुद्रात् स्वयं तीर्णः-पारंगतः, परम्-आश्रितम्, उपदेशदानादिना तारयितुं क्षमः -समर्थो भवति । यो हि सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतः आत्मारामी आत्मविश्रामी आत्मानुभवमग्नः स स्वयं संसारात् निवृत्तः तत्सेवनापरान् निस्तारयति । વિવેચન :- જે આત્મા “જ્ઞાની” છે એટલે કે વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ શાસ્ત્રોમાં જે વસ્તુનું સ્વરૂપ જેમ કહ્યું છે તથા જે વસ્તુનું સ્વરૂપ વાસ્તવિક જેવું છે તેવો યથાર્થ તત્ત્વનો બોધ જેણે પ્રાપ્ત કર્યો છે તે જ્ઞાની આત્મા, જ્યારે “ક્રિયામાં તત્પર” હોય એટલે કે મુક્તિના સાધનભૂત તથા અસાધારણ કારણભૂત એવા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય તેવી, તેને અનુસરનારી મન, વચન અને કાયાની યોગપ્રવૃત્તિ રૂપ શુભક્રિયાવાળો જે આત્મા છે તે આત્મા ક્રિયાપર કહેવાય છે તથા આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુસરનારી (ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ કરે તેવી) આત્માના વીર્યની પ્રવૃત્તિ સ્વરૂપ જે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy