SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪) ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર હે માતા-પિતા ! હે બંધુઓ ! તમારો સંબંધ અનાદિ છે, અર્થાત્ અનાદિ કાલની પરંપરાથી છે તથા નિયતાત્મનાં એટલે અવિરતિ-અસંયમી એવા તમારો સંબંધ અનાદિ છે, સાંસારિક સંબંધ છે. ભોગને વધારનારો-મોહને વધારનારો સંબંધ છે. તેનાથી પાપોનો આશ્રવ જ થાય છે, માટે આ સંબંધ ત્યાજ્ય છે. વ = અથવા નિયતિત્મિનાં = આ શબ્દનો બીજો અર્થ પણ થાય છે. અનિયત છે અનિશ્ચિત છે સ્વરૂપ જેનું એવો તમારો સંબંધ છે. તમારી સાથેનો સંબંધ સદાકાલ એક સ્વરૂપવાળો નથી. કારણ કે હાલ જે મિત્ર હોય છે તે જ સ્વાર્થ સિદ્ધ ન થતાં કાલાન્તરે શત્રુ થાય છે અને શત્રુ હોય છે તે સ્વાર્થ સિદ્ધ થતાં કાલાન્તરે મિત્ર થાય છે. આપણા સંબંધનું શું ઠેકાણું? ઘણા પ્રેમથી વિવાહિત થઈ પતિ-પત્ની બને છે પણ માન ન સચવાતાં અથવા સ્વાર્થ સિદ્ધ ન થતાં છુટાં પડે છે, એક-બીજાની હત્યા કરે છે. તેથી આ સંબંધ અનિશ્ચિત છે. ક્યારે વિરૂપ થઈ જાય તે કંઈ કહેવાય નહીં. માટે હવે હું આવા ક્ષણભંગુર-વિનાશી તથા માત્ર સ્વાર્થ પૂરતા અને ઔપાધિક સંબંધોનો ત્યાગ કરું છું. હવેથી ધ્રુવ સ્વરૂપવાળા-નિશ્ચિત સ્વરૂપવાળા-સદાકાળ એકરૂપે જ રહેનારા-નાનારૂપે નહીં બનનારા (ભિન્ન ભિન્ન રૂપે નહીં બનનારા) એવા શિયળ-સત્યતા-શમ-દમ અને સંતોષ આદિ ગુણો સ્વરૂપ જે બંધુઓ છે, જે સદાકાળ આત્માનું હિત જ કરનારા છે, કલ્યાણકારક છે. સ્વભાવદશા હોવાથી કર્મબંધ કરાવનાર નથી, તેથી હવેથી હંમેશાં હું તેનો જ આશ્રય કરું છું. આત્મકલ્યાણની સાધના કરનારા હે સાધક આત્મા ! તું પણ શુદ્ધ આત્મતત્ત્વના શીલાદિ ગુણાત્મક બંધુઓનો જ આશ્રય કર, જે ક્યારેય પણ દગાબાજ બનતા નથી. સદા હિત જ કરે છે માટે તે ગુણોનો સંબંધ તું કર. /રા कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसन्यासवान् भवेत् ॥३॥ ગાથાર્થ :- સમતા એ જ એક મારી પત્ની છે અને સમાન ક્રિયાવાળા સાધુપુરુષો એ જ મારાં જ્ઞાતિજનો-સગાંવહાલાં અથવા સ્નેહીજનો છે. આ પ્રમાણે બાહ્યવર્ગનો ત્યાગ કરીને હું ગૃહસ્થ ધર્મના ત્યાગવાળો બનું. ડી. ટીકા :- “વત્તા મે” કૃતિ-તત્ત્વજ્ઞાની ઉચ્ચત્તર સqજે નિં તિ, તવાદमे-मम स्वरूपसाधनतत्परस्य समता एव एका कान्ता-वल्लभा भोगयोग्या, इत्यनेन
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy