SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર ', जिणचरणे परमसुहदायगे लहिऊण रुयसि ? ते भांति - अम्हाणं सुओ परमवल्लो वावन्नो । तस्स विओगो जाओ । सो दुक्खो दुस्सहो । ता सुरो भाइ, राय ! भणसु तस्स सरीरं तुह इट्टं जीवो वा ? जई जीवो इट्ठो, ता अहं, कुणसु रागं, जई सरीरो इट्ठो ता कलेवरं रज्जह, कहय तुज्झ पुत्तत्तं कत्थ ? तणुसु जीवे वा ? ऊत यं કૃતિ (તં પ્રત્યેવ અસ્થિ) દું યત્તિ ? તા નળયો મારૂં, નો સો રાનો મરૂ, તા સુરો મારૂ, મનળા ચેવ સા, ખં મે સુત્રો, રૂમા પિયા, રૂમા નબળી, રૂથ્વાર્ફ वियप्पा अवत्थुता, तहरूवे सम्बन्धे कह मुच्छिया ? इय वयणेणं पडिबुद्धा सव्वे पव्वज्जमागया, इयलोगम्मि सम्बन्धो भमरूवो इति ॥ સુભાનુકુમાર દીક્ષિત થયા પછી તુરત જ મૃત્યુ પામવાથી તેમના પિતા વજંઘ રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા, પુત્રને મૃત્યુ પામેલો જોઈને ઘણું ખેદ પામ્યા (દુઃખ પામ્યા). માતા પણ વિલાપ કરતી રડતી રડતી ત્યાં આવી પહોંચી. તે સુભાનુકુમારનો જીવ જલ્દી જલ્દી દેવ-અવસ્થા પામીને (અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા નીચેની પરિસ્થિતિ જાણીને) તુરત જ જિનેશ્વર પ્રભુના ચરણકમલમાં આવી પહોંચ્યો. ત્યાં વિલાપ કરતા માતા-પિતાને જોઈને તે દેવ કહેવા લાગ્યો કે - એવું તે તમને શું દુઃખ છે કે પરમસુખદાયક (જન્મ, જરા અને મરણાદિના દુઃખોથી મુકાવનાર એવા) જિનેશ્વર પ્રભુનાં ચરણકમલ પ્રાપ્ત કરીને રડો છો ? અર્થાત્ સુખદાયક એવા પ્રભુ મળ્યા છે તો પછી રડો છો કેમ ? એવું તો તમને શું દુઃખ છે ? તે કહો. તે માતા-પિતા કહે છે કે - પરમ વહાલો એવો અમારો પુત્ર (સુભાનુકુમાર) મૃત્યુ પામ્યો છે તેનું અમને ઘણું દુ:ખ છે. તે પુત્રનો જે વિયોગ થયો છે તે વિયોગ દુઃખરૂપ છે અને દુસ્સહ છે. તેથી અમે રડીએ છીએ. ત્યારે દેવ કહે છે કે હે રાજન ! કહો કે તમને તે તમારા પુત્રનું શરીર વહાલું છે કે તે પુત્રનો જીવ વહાલો છે ? જો જીવ વહાલો હોય તો તે હું જ છું. અહીંથી મરીને દેવ થયો છું. ત્યાંથી અવધિજ્ઞાનથી જાણીને આવીને તમારી સામે જ ઉભો છું, હું તમારો પુત્ર જ છું, મારા ઉપર રાગ કરો, પુત્ર અસત્ થયો નથી સત્ છે. અને જો શરીર જ ઈષ્ટ હોય તો તેનું ક્લેવર હજુ ભૂમિ ઉપર જ પડેલું છે. તેના ઉપર રાગ કરો, ઘેર લઈ જાઓ, પ્રેમથી પાળો-સાચવો. હે રાજન્ ! કહો કે તમારા પુત્રનું “પુત્રપણું” ક્યાં છે ? શું શરીરમાં છે ? કે જીવમાં છે ? તમે જેને (પુત્રપણે) ઈચ્છતા હો તો તે અહીં જ છે શા માટે રડો છો ? ત્યારે પિતા કહે છે કે “તમને જોઈને કે ક્લેવરને જોઈને” તેવો રાગ ઉછળતો જ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy