SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર પ્રગટ થાય છે. તે કારણથી હવે મોહત્યાગાષ્ટક કહેવાય છે. તેમાં પ્રથમ ચાર નિક્ષેપા કહેવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ વાળો મોહ સુગમ છે. કોઈનું “મોહનલાલ”, “રાગિણી” ઈત્યાદિ નામો પાડવામાં આવે છે તે નામમોહ કહેવાય છે. તથા મોહવાળા જીવની આકૃતિ દોરવામાં આવે તે સ્થાપના મોહ કહેવાય છે. હવે દ્રવ્યમોહમાં ભિન્ન ભિન્ન સમાસ કરવાથી ભિન્ન ભિન્ન અર્થો થાય છે. ત્યાં ‘‘દ્રવ્યેળ’” આમ તૃતીયા તત્પુરુષ સમાસ કરીએ તો મદિરાપાન વગેરે દ્રવ્યો વડે થયેલો મૂઢતાનો (મૂર્છાનો) જે પરિણામ તે દ્રવ્ય મોહ કહેવાય છે. કારણ કે તે મૂઢતા, મદિરા આદિ દ્રવ્યથી જન્મી છે. તથા ‘દ્રવ્યાત્’’ આમ પંચમીતત્પુરુષ સમાસ કરીએ તો ધન અને પોતાનાં સગાં-વહાલાં જે સ્નેહીજનો, તેનાથી થયેલો જે મોહ, તે દ્રવ્યમોહ કહેવાય છે. કારણ કે ધનાદિ અને સ્વજનાદિ દ્રવ્યોથી આ મોહ પ્રગટેલો છે. હવે “વ્યે” આમ સપ્તમી તત્પુરુષ સમાસ કરીએ તો શરીર ઉપર અને ધનાદિના પરિગ્રહ ઉપર જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. તથા ‘દ્રવ્યરૂપો મોઃ'' આમ કર્મધારય સમાસ કરીએ તો મનને મોહ પમાડે તેવાં ગંધર્વાદિ દેવો વડે ગવાયેલાં ગીતાદિ રૂપ વાક્યોને વિષે જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. સર્વપ્રકારની વ્યુત્પત્તિમાં દ્રવ્યાત્મક પરપદાર્થ પ્રત્યેનો જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. તે દ્રવ્યમોહના બે ભેદ છે. એક આગમથી અને બીજો નોઆગમથી, ત્યાં દ્રવ્યમોહના અર્થને જે જાણે, પણ પ્રરૂપણા કરતી વખતે તેનો ઉપયોગ ન હોય, દરરોજનો અનુભવ હોવાથી સહેજે સહેજે પ્રરૂપણા ઉપયોગ વિના પણ થઈ શકતી હોય તે આગમથી દ્રવ્યમોહ કહેવાય છે અને રાગનિમિત્તક પદાર્થોને વિષે (રાગવાળી વ્યક્તિઓ પ્રત્યે) જે મોહ તે નોઆગમથી દ્રવ્યમોહ કહેવાય છે. અહીં રાગવાળી સામેની જે વ્યક્તિ છે તે આગમરૂપ (શાસ્ત્રરૂપ) નથી માટે નોઆગમ અને અહીં પરદ્રવ્યની પ્રધાનતા હોવાથી દ્રવ્યમોહ કહેવાય છે. હવે ભાવમોહના પ્રકારો સમજાવે છે. भावतः मोहः अप्रशस्तः समस्तपापस्थानहेतुपरद्रव्येषु कुदेव-कुगुरु-कुधर्मेषु, प्रशस्तस्तु मोक्षमार्गे सम्यग्दर्शन - ज्ञान - चारित्र - तपोहेतुषु सुदेवगुर्वादिषु । तत्र मोहत्यागः ઉત્ખનનમ્, મિનીમ્ । અત્ર યાવત્ (યાવાન્) ઞપ્રશસ્તસ્તાવત્ (તાવાન્) સર્વથા त्याज्य एव, अशुद्धत्वनिबन्धनत्वात् । प्रशस्तमोहः साधने असाधारणहेतुत्वेन पूर्णतत्त्वनिष्पत्तेः अर्वाक् क्रियमाणोऽपि अनुपादेयः । श्रद्धया विभावत्वेनैवावधार्यः । यद्यपि परावृत्तिस्तथापि अशुद्धपरिणतिरतः साध्ये सर्वमोहपरित्याग एव श्रद्धेयः । ભાવથી મોહ બે પ્રકારનો છે. એક અપ્રશસ્ત અને બીજો પ્રશસ્ત. ત્યાં સમસ્ત
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy