SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ વર્તવા વડે જ મારું સ્વરૂપ હું પ્રગટ કરી શકીશ. પર-સ્વભાવમાં વર્તવા વડે નહીં. (આ કરણકારક થયું.) (૪) માત્મને - સ્વ-સ્વભાવમાં રહેવા વડે પ્રાપ્ત થયેલું મારું શુદ્ધ આત્મસ્વરૂપ મારે મારા આત્માને જ આપવાનું છે અન્ય કોઈને આપવાનું નથી. (આ સંપ્રદાનકારક થયું.) (૫) આત્મનઃ - ગુણોનો આ ખજાનો મારા આત્મામાં જ ભરેલો છે. એટલે તે આત્મામાંથી જ પ્રગટ કરવાનો છે, બહારથી ક્યાંથી લાવવાનો નથી. (આ અપાદાનકારક થયું). (૬) માત્મને - સ્વભાવદશામાં રહેવા વડે આત્મામાંથી પ્રગટ કરેલો આ ગુણખજાનો પ્રગટ કરીને પણ આત્મામાં જ સાચવી રાખવાનો છે. બીજી કોઈ તીજોરીમાં રાખવાનો નથી. (આ અધિકરણકારક થયું.) આમ આ આત્મા જ પોતાના આત્મસ્વરૂપને પોતાના સ્વભાવમાં વર્તવા વડે પોતાના આત્માને જ આપવા માટે પોતાના આત્મામાંથી પ્રગટ કરીને પોતાના આત્મામાં જ પ્રગટપણે સુરક્ષિત સ્વરૂપે પ્રવર્તાવે છે. આવા પ્રકારનું આત્મસ્વરૂપ છે. તેથી પોતાના સ્વરૂપમાં પરિણત થયેલા મહાત્માઓને કર્મબંધના આશ્રવો લાગતા નથી. સંદી उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ॥७॥ ગાથાર્થ - હે વત્સ ! જો તું તારા હૃદયમાંથી અસ્થિરતા રૂપી પવનને પ્રવર્તાવીશ, તો પ્રાપ્ત કરેલી સમાધિરૂપી ધર્મની મેઘઘટાનો તું વિનાશ કરીશ. II ટીકા :- “વીરષ્યિતિ' કૃતિ, યદ્ર સ્વાન્તી–સન્ત:RUIÇ શૈર્યપવનં उदीरयिष्यसि, अस्थिरतामारुतं यदा प्रवर्तयिष्यसि, तदा समाधेः स्वरूपार्थविश्रान्तिरूपधर्ममेघस्य घटां विघटयिष्यसि-दूरीकरिष्यसि इति । अस्थिरस्य समाधिध्वंसो भवति । अतः आत्मधर्मविषये स्थिरता करणीया ॥७॥ | વિવેચન :- ગુરુજી શિષ્યને વાત્સલ્યપૂર્ણ હૃદયપૂર્વક હિતશિક્ષા આપતાં કહે છે કે, હે વત્સ ! જો તું તારા અંતઃકરણમાંથી અસ્થિતા (ચંચળતા-અહીં તહીં ભટકવાપણું તે) રૂપી પવનને ઉત્પન્ન કરીશ એટલે કે અસ્થિરતા રૂપી પવનને પ્રવર્તાવીશ તો આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક અર્થને વિષે વિશ્રાન્તિ થવારૂપ સમાધિ નામના ધર્મમેઘની ઘટાને તું વિખેરી નાખીશ. કારણ કે અસ્થિરતા એ સમાધિની વિનાશક વસ્તુ છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy