SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર પુરુષોનું શરીર મારાથી ભિન્ન છે, તેમ મારું શરીર પણ મારાથી ભિન્ન છે. જેમ અન્ય પુરુષના કુટુંબો મારાથી ભિન્ન છે, તેમ મારું કુટુંબ પણ મારાથી ભિન્ન છે. તેથી “પરત્વ’ (અર્થાત્ ભિન્નત્વ) સર્વત્ર સરખું જ છે. હું કોના ઉપર રાગ (ગમો) કરું ? અને કોના ઉપર દ્વેષ (અણગમો) કરું ? આમ સમજી સર્વત્ર સમત્વ (સમાનપણું) જેના હૃદયમાં પ્રગટ થયું મહાત્માઓને જ્યાં લોકસમૂહ રહેતો હોય એવું ગામ હોય કે નિર્જન અરણ્ય હોય આમ બન્ને સ્થાને તુલ્યતા જ છે. ક્યાંય ઈષ્ટતાબુદ્ધિ કે અનિષ્ટતાબુદ્ધિ થતી નથી. અર્થાત્ ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો અભાવ જ હોય છે. તથા દિવસ હોય કે રાત્રિ હોય, બન્નેમાં સમત્વ જ હોય છે. તુલ્ય પરિણામ જ હોય છે. ગામ-અરણ્ય અને દિવા-નિશા એમ આ બે ઉદાહરણ છે. તેને અનુસારે માન-અપમાનમાં, સ્વદેશ કે પરદેશમાં, પોતાના પરિવારમાં કે અન્યના પરિવારમાં રાગ અને દ્વેષનો અભાવ અર્થાત્ પરપણાની સમાન પરિણિત હોય છે. કોઈ પણ પરપદાર્થમાં અંજાતા નથી કે અણગમો કરતા નથી, આત્મગુણોમાં જ સ્થિર થઈ જાય છે. તેનો જ આ પ્રતાપ છે. પા स्थैर्यरत्नप्रदीपश्चेद्-दीप्रः सङ्कल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाऽऽश्रवैः ॥६॥ ગાથાર્થ :- જો પુરુષના હૃદયમાં સ્થિરતા રૂપી રત્નનો દીપક દેદીપ્યમાન છે તો તે પુરુષને સંકલ્પરૂપી દીપકમાંથી ઉત્પન્ન થયેલા એવા વિકલ્પોરૂપી ધૂમાડા વડે સર્યું, તથા અતિશય મલીન એવા આશ્રવો વડે પણ સર્યું. ॥૬॥ ટીકા :- “સ્થઐતિ’’-યસ્થ પુરુષસ્વ ચેત્-વ ધૈર્યપ્રવીપ:-સ્થિરતાપરત્નવીપ:, વીપ્ર:-તેવીપ્યમાન:, તત્-તવા, સકુંપવીપના: વિÑ:ધૂમ: અત્યં-મૃતમ્ । परचिन्ताऽनुगाऽशुद्धचापल्यरूपः सङ्कल्पः पुनः पुनः तत्स्मरणरूपो विकल्पः, सङ्कल्पविकल्परूपधूमैः अलं सृतम् । यस्य स्वरूपैकत्वरूपा स्थिरता भासते, तस्य सङ्कल्पविकल्पा न भवन्ति । यद्यपि निर्विकल्पसमाधिः अभेदरत्नत्रयीकाले, तथापि स्वरूपलीनानां सांसारिकसङ्कल्पविकल्पाभावः, तथा "अलंधूमै" - अत्यन्तधूमैः मलीनैः आश्रवैः अपि अलं-सृतम्, अतः सङ्कल्पविकल्परूप - चलपरिणतिमपहाय द्रव्यभावप्राणातिपात-मृषावादादत्तादान - मैथुन-परिग्रहरूपैराश्रवैः सृतम्, यो हि आत्मसमाधिरतः स्वस्वभावस्थिरस्तस्य आश्रवा: कुत इति ? વિવેચન :- મહાત્મા પુરુષના હૃદયમાં “સ્થિરતા” રૂપી રત્નનો દીપક જો દેદીપ્યમાન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy