SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર જતાં ધારેલી કિંમત ન આવતાં દુઃખ થાય છે. ખોટી ૫૦૦ ની નોટમાં સાચી નોટની બુદ્ધિ થવાથી ગ્રહણ તો કરી, પણ બજારમાં વટાવવા જતાં કંઈ ન મળ્યું ત્યારે ખેદ થાય છે. તેમ અહીં સમજવું. તેથી પીત્તળના ટુકડામાં સુવર્ણની બુદ્ધિથી અને ખોટી નોટમાં સાચી નોટની બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે જેમ દુઃખદાયી જ છે તેમ અહીં પણ પાંચ ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે વિષાદમૂલક જ છે (દુઃખદાયી જ છે). માટે હે વત્સ ! તું સ્થિર થા. અને સુખના સાચા સાધનને જાણ તથા તેને ગ્રહણ કર. ખોટા માર્ગે ભટકીને દુઃખ જ આવવાનું છે. હે વત્સ ! તારા પોતાના આત્મામાં જ, તારી પોતાની પાસે જ તારા પોતાના આત્માના શુદ્ધ-અનંત-અખંડ ગુણોની સંપત્તિનો ભંડાર છે. પણ તું બહાર ભટકવાનું બંધ કરીને સ્થિર થઈને અંદર નજર કર. બાહ્યદૃષ્ટિને ત્યજીને અંતદૃષ્ટિવાળો થા, તો આવા પ્રકારની આ તારી સ્થિરતા જ તારી પાસે રહેલો તે ભંડાર જ તને દેખાડશે. અંતદૃષ્ટિ કેળવ્યા વિના આ ભંડાર દેખાય તેમ નથી. આરાધનાના પ્રથમ કાલમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્માના ગુણો છે અને આત્મા એ ગુણી દ્રવ્ય છે. પણ ગુણો પ્રગટ થયેલા નથી, ગુણો પ્રગટ કરવાના છે માટે ભેદરત્નત્રયીની ઉપાસના કરવાની છે અને ગુણો જ્યારે પ્રગટ થાય છે ત્યાર પછીના કાલમાં ગુણ-ગુણી એકાકાર હોવાથી અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આમ ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આ રીતે ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના કરતાં કરતાં તે બન્નેની એકતા થવા રૂપ જે સ્થિરતાનુણ છે તે ગુણ જ તારી ગુણસંપત્તિના ભંડારને તને બતાવનાર બનશે. ઉપયોગનો વિષય કરાવશે. આ કારણથી અનાદિ કાળથી ભૂત-પ્રેતની જેમ તને વળગી પડેલો પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખોનો જે આસ્વાદ છે તેના કારણે આવેલી ચંચળતાને (ભૂતાવિષ્ટ ગાંડપણની જેમ) ત્યજીને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંતગુણમય એવા શુદ્ધ આત્મામાં જ લયલીન થા. ત્યાં જ લગની લગાવ. તો આવાં દુઃખ આવશે નહીં. માટે હે વત્સ ! તું આવા શુદ્ધ આત્મભાવમાં જ સ્થિર થા. ll૧/l ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । आम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥२॥ ગાથાર્થ :- ખાટા પદાર્થની જેમ અસ્થિરતાથી પરભાવની આસક્તિના વિકારો રૂપી કૂચાઓ વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામી જાય છે. આમ સમજીને હે જીવ! તું સ્થિર થા. રા.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy