SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ માટે આત્માર્થી જીવે પીદ્ગલિક સુખનો, પદ્ગલિક સુખના રાગનો અને પુદ્ગલમાત્રના સંયોગનો ત્યાગ કરવાની જ સદા ભાવના રાખવી. દા. शमशैत्यपुषो यस्य, विप्रुषोऽपि महाकथा । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नता ॥७॥ ગાથાર્થ - “ઉપશમભાવ”ની શીતળતાની પુષ્ટિવાળા એવા જે મહાપુરુષ છે તેના એક બિન્દુની પણ મહાકથા છે. (મહાપ્રભાવ છે) તો પછી જ્ઞાનામૃતમાં સર્વે પણ અંગો જેનાં લયલીન બની ગયાં છે તેવા જ્ઞાનીની તો અમે શું સ્તુતિ કરીએ? વાચાથી ન કહી શકાય તેવી તે જ્ઞાનમગ્નતા છે. llણા ટીકા :- “શનશૈત્યપુષ" રૂત્તિ, શમ:- પશ:-રાજપામાવઃ, તત્ત્વીસ્વાવત્વમ્ आत्मनि निर्धार्य इष्टानिष्टे वस्तुनि रागादीनां शान्तिः, न हि रागादयो वस्तुपरिणामाः, किन्तु विभावजा अशुद्धा भ्रान्तिपरिणतिः, न हि पुद्गलादीनां शुभाशुभपरिणतिः कस्यापि जीवस्य निमित्ता, किन्तु पूर्णगलनपारिणामिकत्वेन, अथवा वर्णादिकर्मविपाकाद् वा, तत्र रागद्वेषता तु भ्रान्तिरेव, उक्तञ्च कणगो लोहो न भणइ, रागो दोसो कुणन्तु मज्झ तुमं । नियतत्तविलुत्ताणं, एस अणाईअ परिणामो ॥१॥ વિવેચન :- “શમ” એટલે સમતા-રાગ અને દ્વેષનો અભાવ. કઈ વસ્તુ કેવા સ્વરૂપવાળી છે? ઈત્યાદિ વિચારવું, જાણવું, પર્યાયો પામવા એ વસ્તુનું સહજ સ્વરૂપ છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. પરિણામી દ્રવ્ય હોવાથી ક્ષણે ક્ષણે પલટાતા પર્યાયોવાળું તે પુદ્ગલદ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્યના કે જીવદ્રવ્યના કોઈપણ પર્યાયો સદા રહેનારા નથી. તો કયા પર્યાય ઉપર રાગ કરવો અને કયા પર્યાય ઉપર દ્વેષ કરવો? જે કોઈ વસ્તુ છે તે પોતાના પર્યાયોમાં પરિણામ પામે જ છે. પર્યાયો પામવા એ વસ્તુનો સ્વભાવ છે. આવા પ્રકારનું નિર્લેપદશાવાળું જ્ઞાનાત્મક જે તત્ત્વ છે. તે તત્ત્વનું આસ્વાદન કરવું તે આત્માનો ધર્મ છે. પરપદાર્થના સ્વરૂપને પર જાણીને તેના તત્ત્વનો જ્ઞાનરૂપે આસ્વાદ (અનુભવ) કરવો એ આત્માનો ધર્મ છે. આવો પાકો નિર્ણય કરીને ઈષ્ટ વસ્તુ ઉપર થતા રાગને અને અનિષ્ટ વસ્તુ ઉપર થતા ટ્રેષને રોકવો, રાગ-દ્વેષ ન થવા દેવા તેને “શી” કહેવાય છે. પુષ્પમાલા-ચંદન-અંગના જોઈને જે રાગ થાય છે અને વિષ-કંટક-સર્પાદિ જોઈને
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy