SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 123 આગમસાર (૭) પૂજા-શ્લાઘા આદિની ઇચ્છાથી કોઈનું પ્રિય અને કોઈનું અપ્રિય ન કરે. તેને અનર્થનું કારણ સમજી ત્યાગી દે. - ચૌદમો અધ્યયન-ગ્રંથ. (૧) ધન-પરિવાર રૂપી બાહ્ય ગ્રંથી–સાધનોનો ત્યાગ કરી, મુનિ સંયમની શિક્ષા પ્રાપ્ત કરતાં-કરતાં બ્રહ્મચર્યમાં સારી રીતે સ્થિર બને તથા પ્રમાદનો ત્યાગ કરીને વિનય ભાવથી ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરે. (૨) પાંખ પરિપક્વ ન થાય ત્યાં સુધી પક્ષીએ પોતાનું સ્થાન ન છોડવું જોઈએ, તેવી જ રીતે સાધુએ તેની શૈક્ષ અવસ્થા (ત્રણવર્ષ) સુધી એટલે કે સંયમમાં પરિપક્વ થયા પહેલાં ગુરુકુળ વાસમાં જ રહેવું જોઇએ. (૩) નવદીક્ષિત મુનિ પરિપક્વ થવા માટે આ પ્રમાણેના ગુણોની વૃદ્ધિ કરે– ૧. ગુરુકુળમાં રહેતાં થકાં સમાધિની ઈચ્છા રાખે, કારણકે જે પ્રારંભમાં ગુરુકુળવાસ નથી કરતા, તે કર્મોનો અંત કરનાર બની શકતા નથી. તેથી ગુરુકુળ વાસની બહાર ન નીકળે. તેનું કારણ એ જ છે કે શરૂઆતની શિક્ષા-દીક્ષા, અભ્યાસ વગેરે યોગ્ય ગુરુના સાંનિધ્યમાં થવાથીજ સુંદર તેમજ સફળ જીવનનું નિર્માણ થાય છે. ૨. ઊભા રહેવાનો, બેસવાનો, સૂવા વગેરે નો વિવેક; સમિતિ-ગુપ્તિઓનો યથાર્થ અભ્યાસ, અત્યંત અમનોજ્ઞ શબ્દોમાં પણ સમતા ભાવ, અનાશ્રવ પરિણામ, નિદ્રા-પ્રમાદની અલ્પતા; નાના-મોટા રત્નાધિક, તેમજ સરખી ઉમર ની વ્યક્તિ દ્વારા ભૂલ બતાવવામાં આવે કે ઉપાલંભ આપવામાં આવે તો તેના પર શુભ પરિણામો રાખવાનો અભ્યાસ કરવો. ૩. ભિક્ષુની કોઈ પણ ભૂલ પ્રત્યે ગૃહસ્થ કે દાસ-દાસી આદિ સાવધાન કરે તો તેનો પ્રસન્ન ચિત્તે સ્વીકાર કરવો, તેમનો તિરસ્કાર ન કરવો પરંતુ ઉપકારી સમજી આદર આપવો. ૪. રાહગીર અંધકારમાં માર્ગ જોઈ શકતો નથી, અને પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકે છે, તેવી જ રીતે અર્ધશિક્ષિત નવદિક્ષિત પણ ગુરુના સાંનિધ્યે, જિનમત માં પારંગત બન્યા બાદ સ્વયં નિર્ણાયક બની શકે છે. ૫. ગુરુ સાંનિધ્યમાં નિવાસ કરનાર સાધક, ઉત્તમ સાધુનો આચાર અને જીવ આદિ મોક્ષ પર્વતનાં નવ તત્ત્વો ને જાણી બુદ્ધિમાન વક્તા બની જાય છે. તે સંયમ પ્રાપ્ત કરી, શુદ્ધ આચાર અને શુદ્ધ આહાર દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આવા સાધક બીજાને સમ્યક ઉપદેશ દ્વારા ધર્મમાં જોડતાં થકાં શંકાઓનું સમ્યક સમાધાન કરી, તેને ધર્મમાં સ્થિર કરે છે. (૭) આ પ્રકારે ધર્મ આરાધના તેમજ ધર્મ પ્રભાવના કરતાં કરતાં પણ સાધકનીચેની વાતોનું ધ્યાન રાખે. ૧. ક્યાંય પણ સ્વાર્થવશ સૂત્ર સિદ્ધાંતના વાસ્તવિક ૧૨. સત્ય તેમજ વ્યવહાર ભાષાનો પ્રયોગ કરે, અર્થને છપાવે નહિ. ગરીબ-અમીરને સમભાવથી અને રુચિપૂર્વક ધર્મ કહે. ૨. તેવું અભિમાન પણ ન કરે કે હું બહુ મોટો વિદ્વાન, ૧૩. ધર્મ તત્ત્વોનો કે પ્રેરણાનો ઉલ્ટો મતલબ સમજનારને તપસ્વી અને ક્રિયાકાંડી છું. પણ મધુર શબ્દોથી દષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે. ૩. કોઈ શ્રોતા સમજે નહિ તો તેની ઠેકડી ઉડાવે નહિ પરંતુ ખીજાઈને અનાદર કરતાં થકાં વચનો દ્વારા તેને ઠેસ ન અને કોઈના પર ખુશ થઈને આશીર્વાદ પણ ન દે. પહોંચાડે. ૪. વિદ્યા મંત્રનો પ્રયોગ ન કરે. ૧૪. પ્રશ્નકર્તા ની ભાષાની મજાક ન ઉડાવે, વ્યંગ ન કરે. ૫. જનતા પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદની ૧૫. નાની એવી વાતને શબ્દોના આડંબર વડે મોટી ન બનાવે. આશા ન રાખે, પરંતુ જરૂરી પદાર્થો ને ભિક્ષા સમયે ૧૬. થોડું કહેવાથી જે વાત શ્રોતાની સમજમાં ન આવે તેવી નિર્દોષ વિધિથી ગ્રહણ કરે. હોય તેને વિસ્તાર થી સમજાવે. ૬. હાસ્ય-મજાક ન કરે. ૧૭. ગુરુ પાસેથી સુત્રોનો યથાર્થ અર્થ પ્રાપ્ત કરે અને તે ૭. સાવધ(જેમાં હિંસાદિ દોષ હોય) પ્રવૃત્તિઓની અનુસાર જ સૂત્રોની વ્યાખ્યા કરે. પ્રેરણા ન આપે. ૧૮. અલ્પભાષી બને. ૮. કોઈને કઠોર-કડવા વચન ન કહે. ૧૯. સમ્યકત્વની સુરક્ષા કરવાનું સમજે અને સમજાવે. ૯. પૂજા-સત્કાર મળે તો અભિમાન ન કરે. ૨૦. શિક્ષા દાતા તેમજ ગુરુ જનોની સેવા ભક્તિ કરે તથા ૧૦. પોતે પોતાની પ્રશંસા ન કરે. ભાષા તેમજ ભાવોથી તેમના પ્રત્યે આદર રાખે. ૧૧. વ્યાખ્યાન વાણી આદિમાં વિનમ્ર બની સ્યાદ્વાદમય વચન બોલે. (૮) આ પ્રકારે શુદ્ધ અધ્યયન, વ્યાખ્યા, પ્રરૂપણા, તપશ્ચર્યા કરનાર ઉત્સર્ગધર્મની જગ્યાએ ઉત્સર્ગ, અપવાદધર્મની જગ્યાએ અપવાદ ધર્મનો સ્વીકાર કરનાર, વિના વિચાર્યું કાર્ય ન કરનાર સાધુ “અદેય વચન વાળા બને છે, તેમજ તે સર્વજ્ઞોક્ત સમાધિની વ્યાખ્યા કરી શકે છે અને તે સર્વજ્ઞોક્ત(સર્વજ્ઞ પ્રભુની બતાવેલી) સમાધિને પ્રાપ્ત કરી શકે છે. પંદરમો અધ્યયન- યમકીય. જમપ્રતીકં. આ અધ્યયનમાં પૂર્વના વિષયોને તેમજ ગાથાના અંતિમ શબ્દ ને પ્રાયઃ સંબંધિત કરતાં પુનરુચ્ચારણ કરીને વર્ણન કરેલ છે. અર્થાત્ આ અધ્યયનની ઘણી ગાથાઓમાં વિલક્ષણ અલંકારિક રચના શૈલીનો પ્રયોગ છે. (૧)બધા તીર્થકરોએ સર્વપ્રથમ દર્શનાવરણીય(સમ્યગુદર્શનને આવરિત કરનાર દર્શન મોહ) કર્મનો ક્ષય કરવાનું જરૂરી માન્યું છે. (૨) તેના ક્ષય થી સંદેહ નષ્ટ થઈ જાય છે. (૩) સંદેહ રહિત સાધકને અનુપમ જ્ઞાન થાય છે. (૪) અનુપમ જ્ઞાતા તેમજ આખ્યાતા સાધક જ્યાં-ત્યાં ભટકતા નથી. (૫) આગમોમાં જ્યાં-ત્યાં સત્ય તત્ત્વોનું કથન છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy