SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નમરફાર માહાત્મ્ય. एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અર્થાત્એ પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કાર સર્વ પાપના નાશ કરનાર છે અને સવ` મ`ગળામાં પ્રથમ મગળ છે. જે મનુષ્ય આ નમસ્કાર મહામત્રંનું ત્રિકાળ ધ્યાન ધરે છે, તેને શત્રુ પણ મિત્ર રૂપ થાય છે, વિષ પણુ અમૃત રૂપ થાય છે, શરણુ રહિત અરણ્ય પણ વાસગૃહ રૂપ થાય છે, તેને સર્વ મહા અનુકુળ થાય છે, ચાર યશ કરનારા થાય છે, સ અપશુકનાદિ પણ શુભ ફળને આપનારા થાય છે, બીજાએ પ્રયાગ કરેલા મંત્ર, તંત્ર અને યંત્રાદ્રિક પણ તેને પરાભવ કરી શકતા નથી, સ` પ્રકારની શાકિની પણ માતાની તુલ્ય તેના દ્રોહ કરી શકતી નથી, તેની પાસે સાઁ પણ કમળની નાળ જેવા થઈ જાય છે, સિંહા પણ શિયાળ જેવા થઈ જાય છે, હસ્તિઓ પણ હરણી જેવા થઈ જાય છે, રાક્ષસા પણ તેની રક્ષા કરે છે, ભૂતાન સમૂહ પણ તેની વિભૂતિને માટે થાય છે, પ્રેત પણ તેને પ્રીતિને કરનારા થાય છે, ચેટક પણ તેના દાસ થઈ જાય છે, યુદ્ધ તેને ધન આપનારૂં થાય છે, રાગા પણ તેને ભાગ આપનારા થાય છે, વિપત્તિ પણ તેને સંપત્તિને માટે થાય છે અને સર્વ પ્રકારનું દુઃખ પણ તેને સુખ આપનાર થાય છે. જેમ ગરૂડના ગંભીર સ્વર સાંભળીને ચંદનના વૃક્ષેા સૌથી મુક્ત થાય છે, તેમ પચ નમસ્કારના ગંભીર સ્વર સાંભળવાથી પણ અધનયુક્ત મનુષ્ય બધાથી મુક્ત થાય છે. જેઓના ચિત્તમાં એક નમસ્કારનું જ સ્મરણ થતું હાય, તેને જળ, સ્થળ, સ્મશાન, પર્વત, દુ અને બીજા તેવા જ કષ્ટકારી સ્થાનામાં કદાચ કષ્ટ આવી પડે તે પણ તે ઉત્સવ રૂપ જ પરિણમે છે. પુણ્યાનુબંધી પુણ્યવાળા જે પુરૂષ વિધિપૂર્વક પરમેષ્ઠિ નમસ્કાર મહામન્ત્રનું ધ્યાન કરતા હાય છે, તેને તિર્યંચગતિ કે નરકગતિ પ્રાપ્ત થતી જ નથી. ચક્રવતી વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ખળદેવ વગેરેના અશ્વની સંપદાએ નમસ્કારના પ્રભાવરૂપી સમુદ્રને કાંઠે રહેલા મુક્તાફળની જેમ સુલભ થાય છે. આ મત્રના વિધિ પ્રમાણે પ્રયોગ કરવાથી તે વશીકરણ, ઉચ્ચાટન, ક્ષેાભ, સ્તંભન અને મુર્છા વગેરે કાર્ડ્ઝમાં પણુ સિદ્ધિને આપનારા થાય છે. વિધિ પ્રમાણે સ્મરણ કરેલા આ મંત્ર અધર નિમેષ માત્રમાં જ પર વિદ્યાના નાશ કરનારા થાય છે; તથા ક્ષુદ્ર દેવતાઓએ જે રૂપાદિનુ પરિવર્તન કર્યું હાય તેના પણ નાશ કરે છે, સ્વર્ગ, મત્ય અને પાતાલ એ ત્રણ ભુવન રૂપી ર’ગમ’ડપને વિષે કાઈ પણ ઠેકાણે કાઈ પણ પ્રકારે કાઈ પણ પ્રાણીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને આશ્ચર્યકારક જે કાંઈ પણ અતિશય જોવામાં
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy