SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણ. ચાર ગિતરૂપ સંસાર જો કે કટુ છે, તે પણ મને મનુષ્યજન્મ અને દીર્ઘાયુષ મળવાથી મારે તે માન્ય કરવા લાયક છે; કારણકે તે જન્મ અને દીર્ઘાયુષના આશ્રયથીજ મને જિનેશ્વરદેવનું શાસન (જૈન ધર્મ) પ્રાપ્ત થએલ છે. ર શ્રી જિનશાસનરૂપ મનુષ્ય ક્ષેત્રને વિષે પાંચ મેરૂ સમાન અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સર્વ સાધુએને નમસ્કાર હેા. જે ભત્ર્ય પ્રાણીએ “નમો અરિતાળું, નમો સિદ્દાળ, નમો આયરિયાળ, નમો ઉવજ્ઞાયાળું, નમો ટોલ્ સવ્વસા” આ પાંચ પદોનું ભાવપૂર્વક સ્મરણ કરે છે, તેને ભવભ્રમણ કયાંથી હાય ? સાક્ષાત્ તીથ કરની વાણીના પાંત્રીસ અતિશયા જેવા આ પોંચ પરમેષ્ટિ નમસ્કારના પાંચ પદ્માના પાંત્રીસ અક્ષરા તમને લક્ષ્મીની પ્રાપ્તિને માટે થાઓ. આદિ અંત રહિત તે પંચ પરમેષ્ટિના ત્રણ લેાકને પવિત્ર કરનાર બ્લેાકેા વડે સિદ્ધસેનની વાણી પેાતાના આત્માની શુદ્ધિને કરે છે. જેઓએ અરિહંત ભગવંતનું શરણુ ગ્રહણ કર્યું હાય છે, તેઓને નરનાથરાજાએ વાવતી થાય છે, દેવેન્દ્રો તેમને નમસ્કાર કરે છે તથા તેને સર્પાદિકથી ભય ઉપજતા નથી, જે ભવ્ય પ્રાણી અરિહંતને પૂજે છે, તેના પર મોહ દ્રોહ કરી શકતા નથી, તે નિરંતર હ` પામે છે અને શીઘ્રપણે મેાક્ષમાં જાય છે. જેએને કેવળજ્ઞાનીએ પ્રદક્ષિણા દેવા વડે પૂજે છે-ગચે છે તે અનંત ગુણુ અને રૂપવાળા અરિહંત ભગવંતના માહાત્મ્યને કાણુ જાણે છે ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર વગેરે દેવાને પશુ જે રાગદ્વેષાદિક રિપુએ (શત્રુએ) એ અત્યંત વિડંબના પમાડી છે, તે શત્રુઓને એકલા જિનેશ્વરાએ-અરિહંત ભગવંતાએ જ હુણ્યા છે. આત્મા અને કર્મ અને ક્ષીર નીરની જેમ નિરંતર મળેલા છે, તેનું હઁસની જેમ .જે વિવરણ-પૃથક્કરણ તે એક જિનેશ્વર ભગવંતા જ કરે છે. જેમ Æ (સ'ભારવુ) અને થૈ (ધ્યાન કરવુ) એ જોડાક્ષરવાળા ધાતુઓના અક્ષરો સ્વભાવથી જ જોડાએલા છે, તેમજ આત્મા અને કર્મી સ્વભાવથી જ જોડાએલા છે, તેઓના સયેાગને ખીજા મહાત્માઓ પણ જાણી શકતા નથી. ખીજ અને અકુરાની જેમ તથા કુકડી અને ઈંડાની જેમ આત્મા અને કમ' અનાદિ કાળથી પરસ્પર મળેલાં છે. તેમાં અમુક પ્રથમ અને અમુક પછી ઉત્પન્ન થએલાં છે એવું પૂર્વાપરપણું સર્વથા પ્રકારે અસંભવિત જ છે. જેએ પ્રાણીઆને કર્મરૂપ પાશથી તયી-રક્ષણ કરનારા છે, જેઓ ભવસમુદ્રમાં ડુબતા પ્રાણીઓને તારનાર છે તથા જે તત્ત્વજ્ઞાનીઓના સ્વામી છે તે જિનેશ્વર ભગવંતાનુ અમે ધ્યાન કરીએ છીએ. ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળા શંકાર અક્ષર એવું
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy