SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર મત ત્રાસ્નાય. કાવ્ય. ૩૦– વધિ –૩૪ દી ઘોળુorror I મંત્ર–૩૪ ફ્રી શ્રી શ્રી ર્વનાથાદ હ્રીં ઘરzqwવતતાર અદે મ [शुद्रविघट्टे] क्षुद्रान् स्तंभय स्तंभय रक्षां कुरू कुरू स्वाहा। યંત્ર–ચતુરસ પાંચ ખાનાવાળે કરીને, તે ખાનામાં પાંચ ઈંકાર લખીને તેના ઉપર વલય દઈને, તેના ઉપર પંચદશ કારાક્ષર વીંટીને, વળી તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મગ્ન વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૧ વિધિઃ–આ કાવ્ય, અદ્ધિ અને મન્નનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખીને માર્ગે જતાં, બીજા કેઈ, દેશ, નગર અથવા ગામે જતાં આવતાં, રસ્તામાં દ્વિપદ અથવા ચતુષ્પદ હિંસક પ્રાણીઓને ભય ઉપસ્થિત ન થાય. વળી પવિત્ર થઈને સફેદ વસ્ત્ર ધારણ કરી, પૂર્વદિશાએ સિંહાસન ઉપર શ્રી ચકેશ્વરી દેવીની મૂતિ સ્થાપન કરીને, સફેદ ફૂલથી પૂજીને, સફેદ આસન પર બેસીને, રૂપાની માલાથી ૧૦૦૮ વાર આ કાવ્ય, નૃદ્ધિ અને મન્ચને જાપ કરવાથી માત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી ભયજનક સ્થાનમાં તથા માર્ગમાં જતાં આવતાં એકવીશ વાર સ્મરણ કરવાથી ચોર, દુષ્ટ ભિલ, વાઘ વગેરેને ભય ઉપસ્થિત થતું નથી. ઘેર નિરંતર યંત્રનું પૂજન કરવાથી આ યંત્ર સર્વભોનું હરણ કરે છે.' તંત્ર-પુષ્યાકે ઘુવડનું હાડકું તથા લજામણીના પંચાંગ લાવી ગેળી કરી, કાર્ય પડે ત્યારે તિલક કપાળમાં કરવાથી રસ્તામાં કોઈ પણ જાતને ભય ઉપસ્થિત થતો નથી. ઈતિ વિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત ત્રીશમા યંત્રની વિધિ– આ યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધથી પુગ્યાકે અથવા હસ્તાકે અથવા દીપમાલિકાના દિવસે વિધિ સહિત લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાખીને, પંચામૃતથી પખાલી, હાથે બાંધવાથી રસ્તામાં કોઈ પણ જાતને ભય ઉપસ્થિત થતો નથી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૨ - ૧ માં વિધિ આ પ્રમાણે છે –“દ્ધિ, મસ્ત્રનું આરાધન કરીને, યંત્ર પાસે રાખવાથી શત્રુનું સ્થંભન થાય છે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy