SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મહામાભાવિક નવસ્મરણ. દુખથી અટકાવી શકાય અગર દુઃસાધ્ય ઉત્પન્ન થાય નહિ. પાટલી અથવા કાંસાને પાત્ર પર લખી પૂજન કરવાથી શુભ ફળ આપે. કદાચિત્ કઈ પણ મનુષ્ય આ સ્તોત્રના મંત્રાક્ષરોને કઈ પણ રીતે જાણીને તેને જાપ કરે અને સ્તોત્ર ભણે નહિ તે તેને ધાર્યા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય નહિ અને સ્તોત્ર જાપ કરવાથી તુરત ગુણ થાય. આ સ્તોત્ર ગણવાથી અગર સાંભળવાથી શાકિનીથી ઘેરાએલી વ્યક્તિ મૃત્યુ પામે અથવા તેનાથી મુક્ત થાય. આ દુઃષમાં નામના પાંચમા આરાના સમયમાં ગ્રંથિવિકાર જ્વરાદિ અને મરકી વગેરેથી લોકોને દુ:ખી જોઈને, ધર્મના આધાર ભૂત શ્રીસંઘના મનુષ્યની હાની થતી જોઈને ખેદ તથા કરુણા ઉત્પન્ન થવાથી પરમપૂજ્ય પરમગુરૂ શ્રી સમસુંદરસૂરિની ચરણ કૃપાથી સૂરિમંત્રની સાધના કરતાં પ્રસન્ન થએલા સૂરિમંત્રના અધિછાયક દેવે આપેલા વરદાન વડે શોભતા શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તંત્રની રચના કરી છે. શ્રી સંઘમાં વ્યાપેલા મરકી વગેરે ઉપદ્રના નિવારણ માટે અને સર્વદેશમાં રહેલા આરાધક મનુષ્યોનાં મરકી આદિ ઉપદ્રવનું નિવારણ કરવા માટે પ્રગટ છે પ્રભાવ જગતમાં જેને એવા આ “શાંતિકર સ્તોત્ર' ને કંઇક આમ્નાય (વિધિ) અમોએ વર્ણવેલ છે, તે કોઈ પણ મિથ્યાત્વીને, અધર્મિજનને, સદાચાર વગરના માણસોને, શૌચાદિ નિત્યકર્મ નહિ પાળનારાઓને, બાળકોને તેમ જ સ્ત્રીઓને (મંદબુદ્ધિ હોવાને લીધે )આપો નહિ. કેમકે સદાચાર પાળનારાઓને દરેક રીતે આબાદીને આપનાર આ સ્તોત્ર છે, સાધના: પર્યુષણ પર્વને અઠ્ઠમ કરી ૧૦૮ વાર સંતિક સંપૂર્ણ ગણવું એ સાધના કર્યા પછી જ્યારે જરૂર પડે ત્યારે બીજી અને ત્રીજી ગાથા ૧૦૮ વાર ગણવી, રોગ વરાદિક જાય. આ સ્તોત્ર મહાપ્રાભાવિક છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy