SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમના વિષયમાં આવશ્યક વિચારે. જેવી રીતે ભમરો સુગંધી ફૂલ પર બેસીને તેને પરાગ લઈને બીજે ફૂલે જાય, એમ અનેક ફેલો પર ભમી ભમીને પોતાના આત્માને સંતુષ્ટ કરે છે, પરંતુ તે ફૂલને જરાએ હાનિ પહોંચાડતા નથી, તેવી જ રીતે સાધુ પણ અનેક ઘર ભમી ભમીને તાલીશ દેષ રહિત શુદ્ધ આહાર વહોરી લાવી પિતાના પિંડનું–શરીરનું પિષણ કરે છે, પાંચે ઈન્દ્રિયોને વશમાં રાખે છે, પાંચે ઈન્દ્રિઓના વિષયને જીતે છે. પોતે પકાય જીવની રક્ષા કરે છે અને ઉપદેશ આપી બીજાઓ દ્વારા કરાવે છે, વળી સત્તર ભેદ સહિત સંયમની આરાધના કરે છે, સર્વ જીવ પ્રત્યે દયાના પરિણામ રાખે છે, અઢાર હજાર શીલાંગ રથના ધેરી, અચલ અને અડગ ચારિત્રના પાલનાર, એવા મુનિવરેને જયણાપૂર્વક વાંદીને પિતાના આત્માને પવિત્ર કરે જોઈએ. વળી તેઓ નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર, બાર પ્રકારના તપ કરવામાં શૂરવીર, આત્માથી, વળી આરંભ સમારંભના આદેશ તથા ઉપદેશથી પર, જેઓને લોકોને ભેગા કરવાની વૃત્તિ નથી, અને વંદન તથા પૂજનની ઈચ્છાથી પર છે એવા સાધુઓનું દર્શન તે જે મહદ્પુણ્યને ઉદય હોય તો જ પમાય છે. અને તેથી એવા સાધુઓને નમસ્કાર અવશ્ય કરવું જોઈએ. આવા સાધુ મહાત્માઓનું ધ્યાન આષાઢ મહિનાના મેઘ સમાન શ્યામવર્ણથી કરવું જોઈએ. પ્રશ્ન–મો એ સવ્વલ દૂi’ એ પાંચમા પદમાં ‘ોર” એ પદના કથનથી શું ભાવ નીકળે છે? ઉત્તર–ો' એ પદને કથનનું પ્રજન નીચે મુજબ છે – (૧) અઢીદ્વીપમાં જ મનુષ્યની ઉત્પત્તિ હોવાથી સાધુઓનું નિવાસસ્થાન અઢી દ્વીપપ્રમાણ લેક પ્રદેશમાં જ છે. (૨) “ઇ” એ પદ મધ્ય મંગલના માટે છે, કારણકે “ત્રો ને' એ ધાતુથી છો શબ્દ બને છે. તથા બધાએ દર્શનાર્થક ધાતુ જ્ઞાનાર્થક માનવામાં આવે છે અને જ્ઞાન મંગલ સ્વરૂપ છે, તેથી મધ્યમાં મંગલ કરવાને માટે આ પદમાં બોર પર રાખવામાં આવ્યું છે. (૩) ત્રીજું કારણ એ પણ છે કે “વલાદૂ એ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ સન્નિવિષ્ટ છે (જેનું વર્ણન આગળ કરવામાં આવેલું છે ), કારણકે સાધુજન ઈચ્છા રહિત હોય છે, તેના સંબંધમાં “ોણ? પદ એ વાતને સૂચિત કરે છે કે તે સાધુજનને જે ઈચ્છા ઉત્પન્ન પણ થાય છે તે જ્ઞાન સહચારિણી જ હોય છે એટલે રજોગુણ અને તમે ગુણની વાસનાથી રહિત સાવિકી ઈચ્છા હોય છે અને તેની
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy