SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પલતા બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્ધશીલાના રંગ સફેદ છે. આજુબાજુનાં બંને ઝાડનાં પાંદડાં લીલા રંગના છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકે મળ ચીતરેલાં છે કે તેને સંપૂર્ણ ખ્યાલ આ હાકટોન ચિત્રથી કોઈપણ રીતે આવી શકે નહિ. અમદાવાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દીવાલમાં કતરેલી સુંદર સ્થાપત્યકળીઓની સુચના મૂળ આવા કોઈ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્યકામની એ દીર્ઘકાય જાળી કરતાં બે અગર અઢી ઈચની ટૂંકી જગ્યામાંથી ફક્ત અરધા ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવા બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારો આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ચિત્ર ૧૩ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ—ઉપરોક્ત પ્રમાંથી જ. તાર્યકરને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવો સમવસરણની રચના કરે છે. આ સ વસરણની બે જાતની રચનાઓ આપણને પ્રાચીન ચિત્રામાં મળી આવે છે. એક જાતની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે. આ ચિત્ર ગોળાકૃતિવાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતા ત્રણ ગઇ છે. મસ્તકની પાછળના ભાગમાં એક વૃક્ષને બદલે બે બાજુ લટકતાં કમળ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહાર ચારે ખૂણામાં અંકેક વાપિકા-વાવ ચીતરેલી છે. પ્રસંગોપાત્ત સમવસરણનું ટુંક વર્ણન આપવું મને યોગ્ય લાગે છે. ‘પ્રથમવાયુકુમાર દેવો જ પ્રમાણ પૃથ્વી ઉપરથી કરો, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેવકુમાર દે સુગંધી જળને વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થકરના ચરણેને પિતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતરો છે ઋતુના પચરંગી, સુગંધી, અમુખ ડીંટવાળાં પુષ્પોની જાનું પત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવો સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે, અર્થાત એક જન પતિની આ પૃથ્વી ઉપર પાબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જનોને દેશના સાંભળવા માટે બોલાવતા હોય તેમ તેણેની ઉપર રહેલો વજન સમુહ રચીને તેઓ સમવસરણને શભા-સુશોભિત કરે છે. તેરણાની ચેિ પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગલતામાં ઉમેરો કરે છે. વૈમાનિક દેવો અંદરને, તોતિ મળે અને ભવનપતિ બહાર ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળા અને રત્નાને બનાવેલું અંદર ગત જાણે સાક્ષાત રાહગિરિ' હૈય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળા અને સેનાને બનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપોમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જે ઝળકી રહે છે. સૌથી બહારના ગઢ સેનાના કાંગરાવાળો અને રૂપાને બનેલા હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ તાવ્ય પર્વત આવ્યા હોય એમ ભાસે છે. આ પ્રતિમાના ચિત્રપ્રસંગે જુદીજુદી પ્રતીમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રો આલેખનમાં વધુ સુકામનાવાળા તેમજ કાંઈક વધારે સિકતાથી આલેખાએલાં હોય એમ લાગે છે. ૮ વિસ્તૃત વર્ણન માટે વધુ એ—૧ આવશ્યક નિર્યુક્તિ, ર ત્રિપકડીશલાકાપુરષચરિત્ર, ૩ સમવસરણ પ્રકરણ, ૪ લોક 121 +{ 30 , 'Jain Iconography (Il Samavasarana' by D.R. Blanda kar M.A. in Indian Antiquary, Vol XL pp. 125 to 130 & 153 to 161, 1911.
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy