SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો પરમકૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.” જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કાંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે. બધાય પરમ કૃપાળુ દેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફુલની પાંખડી. કૃપાળુ દેવની દ્રષ્ટિ ઉપર બધા આવે છે. સોનું કામ થઈ જશે. બીજા લાખો હોય તો ય શું?” પરમસમાધિમાં લીન થઈ પરમપદ પ્રત્યે પ્રયાણ “સંવત્ ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય નિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને “અપૂર્વ અવસર’ બોલવાનું સૂચવેલ. કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના ૮.૧૦ વાગ્યે વ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને! અને એમણે દર્શાવેલા દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને !” (ઉ.પૃ.૭૮])
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy