SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સમાધિમરણ જીવ ! તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે; તારું ધાર્યું થાતું હોત તો, સુખ સંચી દુઃખ હરે. કૃષ્ણને” “મોહઘેલછા જગ આખામાં, વ્યાપી રહી અપાર અહો ! જન્મમરણનાં દુઃખ કેટલાં, તેનો નહીં વિચાર અહો ! મોહમદિરાના છાકે જીવ, જાણે ન ઠીક અઠીક અહો ! દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો ! નજરે મરતાં જન જગમાં બહુ, દેખે તોયે અંધ અહો ! વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો ! વાત કરે “મરવાનું સૌને” લે નહિ નિજ સંભાળ અહો ! ખટકો ઉરમાં રહે ન કાંઈ, વદે બહુ વાચાળ અહો ! વેરઝેરમાં કાળ ગુમાવે, સ્વાર્થ વિષે મશગૂલ અહો ! દુર્લભ માનવભવની કિંમત, ગણી ન એ મહા ભૂલ અહો ! દેવ, ગુરુ, ધર્માદિ સાચા, સત્સંગે સમજાય અહો ! દયા, દાન, તપ, ભક્તિયોગે, નરભવ સફળો થાય અહો !” (પ્રજ્ઞાવબોધ-૮૬) રોકકળ મૂકી અનિત્ય, અશરણ આદિ ભાવનાઓમાં રહેવાથી સ્વપર હિતા “બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં.” આયુષ્ય અલ્પ લઈને આવેલા મહેમાનને કોણ વધારે વાર રાખવા સમર્થ છે ? તેની પાછળ ખેદ કરવામાં કંઈ સાર નથી. જે બની ગયું તે અન્યથા થવાનું નથી. ઊલટું આર્તધ્યાન કરી કર્મ બાંધવાથી આપણું એટલું ભક્તિ કરવા યોગ્ય આયુષ્ય એળે જાય અને તેવા વખતમાં આયુષ્ય બંધાઈ જાય તો રોકકળ કરનારને ઢોરપશુની ગતિમાં જવું પડે. એવું કામ પોતે પણ ન કરવું અને બીજાને પણ સમજાવી રડવાકુટવાથી પાછા વાળી કંઈ વાંચી સંભળાવવું. “સમાધિસોપાન'માંથી અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાઓ જે કોઈ રોવા કે સાંભળવા આવે તેમને તે દિવસોમાં સંભળાવવાથી તમારો તેમ જ સાંભળનારાઓનો વખત ધર્મકાર્યમાં જવાથી સ્વપરહિત થશેજી.” (બો.૩ પૃ.૨૭૪) મરણ બગાડે એવો, બઘા ઉપરનો મોહ પહેલા છોડવો સમ્મદ્રષ્ટિ જીવ સવળું કરે એવું પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. શોક થતો હોય તેને તપાસે કે દીકરા ઉપર બહુ મોહ કર્યો હતો તો હવે આ વિયોગ વધારે સાલે છે. જેમને વધારે મોહ તેના ઉપર નહીં હોય તેમને એટલું બધું લાગતું નથી. તો હવે એ શિખામણ લેવી કે નાશવંત વસ્તુઓ ઉપર મોહ કરવો. તેમાં આનંદ માનવો તે ક્લેશકારી આખરે નીવડે છે. માટે હવે વિષયભોગ, સગાંવહાલાં, ધન, ખેતર, કુટુંબ આદિનો વિચાર કરી, ઊંડાં મૂળ મોહે નાખ્યાં હોય તેને ખેંચી કાઢવાનો, તેને વિચારીને ક્ષય કરવાનો અવસર આવ્યો છે. તો હવે શાના વિના મારે
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy