SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સમાધિમરણ વાણિયો નથી, બ્રાહ્મણ નથી. તેમ છતાં આ આઠ પ્રકારના કર્મથી ઘેરાયેલો જુદા જુદા રૂપે દેખાય છે; પણ તે ક્યારેય દેહરૂપે થયો નથી. દેહથી ભિન્ન, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ છે, પરમ આનંદ-સ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત્ય મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે અને સંતપુરુષોએ જણાવ્યો છે, તે માટે માન્ય છે.” (ઉ.પૃ.૧૨૨) શાતા અશાતા બન્ને વેદનીય કર્મ છે તેથી આત્માનો કદી નાશ નથી “મને દુઃખ થાય છે, હું મરી જઉં છું એમ હું કદી માનનાર નથી. દેહના સંજોગે દેહના દંડ દેખવાના હશે તે દેખું છું. પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાનસ્વરૂપ, અનંત દર્શનસ્વરૂપ, અવ્યાબાધ સુખસ્વરૂપ અને અનંત શક્તિસ્વરૂપ છે. તેમાં મારી આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાઓ. આત્માથી ભિન્ન જે જે સંજોગો મળ્યા છે તે બધા મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. શાતા કે અશાતા બન્ને વેદનીય કર્મ છે. કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી; પણ જે આવી પડે તે સમતા ભાવે સહન કરવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વ કર્મથી રહિત થઈ મોક્ષ પામ્યા છે. સ્મરણમાં ચિત્તને રોકવું.” (ઉ.પૃ.૧૨૨) આતમભાવનાથી જીવની આતનગતિ થાય. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” જુવાની, નીરોગ અવસ્થા અને સુખવૈભવ ભોગવવાના પ્રસંગો કરતાં આવી વેદનીના પ્રસંગો જીવને કલ્યાણના કારણ હોવાથી અમૃત સમાન છે; પણ દ્રષ્ટિ ફરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે અને તે છોડવાનો વખત આવે ત્યારે કઠણ લાગે છે. પણ
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy