SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ મંત્રના પ્રભાવે અને પાપના પશ્ચાતાપથી થયેલ દેવગતિ હૂંડિક ચોરનું દૃષ્ટાંત—“મથુરામાં શત્રુઠમન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં જિનદત્ત નામનો એક શેઠ રહેતો હતો. એક દિવસ રાજાએ હૂંડિક નામના ચોરને ચોરીના અપરાધમાં મૃત્યુદંડની સજા આપી. જ્યારે સૈનિક રાજઆજ્ઞાનું પાલન કરવા રસ્તામાં તેને લઈ જતા હતા ત્યારે જિનદત્ત શેઠે ચોરને નવકાર મંત્ર સંભળાવ્યો અને પાપનો પશ્ચાતાપ કરવા જણાવ્યું. તેના ફળસ્વરૂપે ઠુંડિક ચોર બીજા જન્મમાં મંત્રના પ્રભાવથી યક્ષ જાતિનો વ્યંતરદેવ થયો. नमो अरि नमो विदा आयरियाण સમાધિમરણ मो नमो लोए सबस एस पच मुक्का सायणी मंगलसिं पदम व मंगले બીજે દિવસે રાજાને ખબર પડી કે શેઠે ચોરની સાથે વાર્તાલાપ કર્યો છે તેથી તેને રાજદ્રોહી જાહેર કરી ગધેડા ઉપર બેસાડી નગરની અંદર ફેરવવાનું અને અપમાનિત કરવાની આજ્ઞા આપી. જે ચોર યક્ષ બનેલો છે તેણે રાજસેવકોને રાજઆજ્ઞા પાલન કરનારાઓને રોકીને કહ્યું ઃ શેઠનું અપમાન કરો નહીં પણ તેમનું સન્માન કરો, નહીં તો હું આ શીલાથી નગરનો નાશ કરીશ. રાજાએ બધી વાત જાણીને શેઠને સન્માન સાથે મુક્ત કર્યાં. પછી તે યક્ષ મંત્ર સ્મરણ કરતો અંતર્ધાન થઈ ગયો.’” (સચિત્ર નવકારમાંથી) બધા દોષને સવળા કરી ગુણરૂપ કરવા “ક્રોધ કરવો તો પોતાના કર્મવેરી પ્રત્યે કરવો. માન સત્પુરુષની ભક્તિનાં પરિણામમાં કરવું, માયા પરનાં દુઃખ નિવારણ કરવામાં કરવી. લોભ ક્ષમા ધારણ કરવામાં કરવો. રાગ સત્પુરુષ
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy