SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૧૨ દિગંબર દશાએ માત્ર કચ્છ મારી પદ્માસને ધ્યાનારૂઢ થયા. સમાધિમાં કેટલોક સમય રહી, સમાધિ પારી અમારા તરફ દ્રષ્ટિ કરી. એટલે અમે પ્રશ્ન કર્યો કે “ સિતિ ગુન્હેંતિ મુવંતિ પરણિવ્યાયંતિ સવ્વ સુરક્વાણમંત વારંતિ” આ પાઠમાં સિઝંતિ પછી બુઝંતિ કેમ આવ્યું હશે? સિદ્ધપણું જ્ઞાન સહિત હોય છે માટે એમ કહ્યું પરમગુરુએ ઉત્તરમાં કહ્યું : સિદ્ધ થયા પછી બોઘ જ્ઞાનાદિગુણ-રહિત હોય છે એમ કોઈ દર્શનવાળા માને છે. વેદાંત કહે છે કે મુક્ત થયા પછી શૂન્યરૂપે હોય છે. પણ જિનદેવ કહે છે કે સિદ્ધત્વ જ્ઞાનસહિત હોય છે. માટે સિન્ડ્રુતિ પછી ગુૉંતિ એમ સૂત્રથી ગણધર ભગવાને કહ્યું છે. એવી રીતે ઉપરનાં સૂત્રોનો ફુટ અર્થ કરી નિગ્રંથ શૈલીનું સ્વરૂપ અલૌકિક પ્રકારે દર્શાવ્યું. તે સાંભળી અમારા આત્મામાં એમ થઈ આવ્યું કે અહો! આવો શાસ્ત્રનો પરમાર્થ કોણ સમજાવે? -શ્રીમદ્ રાજચંદ્ર (પૃષ્ઠ ૮૩૨) પછી અમે બીજો પ્રશ્ન કરેલો કે ડિમાન, નિંદ્રમ, રામ, ૩પ્પા/ વસિરમ એનો શો અર્થ હશે? તેનો પણ અદભુત અર્થ કરી દેખાડ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર (પૃષ્ઠ ૭૧૬) આજ્ઞા કરેલ બોઘ નહીં વિચારવાથી ચાલ્યા જવાની આજ્ઞા પછી વિષ્ણુ, શિવ, બ્રહ્મા આદિ ૧૦૦૮ નામમાંથી કેટલાંકના શબ્દાર્થ અને પરમાર્થ સમજાવી તે અર્થ મનન કરવાનું વિચારવાનું જણાવી પોતે શૌચ પધાર્યા. તથાપિ વિચારવાનું અવકાશ રાખી, હાલ તો કૃપાળુદેવની ભક્તિ કરવી એમ માની ભક્તિના છંદો ગાવા શરૂ કર્યા, એ પોતાના સાંભળવામાં દૂરથી આવેલા તેથી શૌચથી નિવૃત્ત થઈ તે દેવાલય આગળ આવતાં જ તૂર્ત આજ્ઞા કરી કે તમે સર્વ અહીંથી ચાલ્યા જાવ. આવી આજ્ઞા થવાનું કારણ વિચારતાં અમને અમારી ભૂલ સમજાઈ કે કપાળુદેવે, થયેલા બોઘનું મનન કરવા કહેલ, તે નહીં કરતાં અમે તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેથી ત્વરિત જવા કહ્યું. અમે પસ્તાવો કરતા ઉપાશ્રયે આવ્યા અને પોતે પણ ઉતારે પધાર્યા. આપના પ્રતાપે મળેલ “મોક્ષમાર્ગ પ્રકાશ' ગ્રંથ અપૂર્વ છે. એક દિવસે ઉપાશ્રયમાં બપોરે પરમકૃપાળુદેવ પધાર્યા, તે વખતે મોક્ષમાર્ગ પ્રકાશ' નામનો ગ્રંથ મુનિ મોહનલાલજી વાંચતા હતા, તે દેખી પોતે પૂછ્યું કે શું વાંચો છો? મોહનલાલજીએ જણાવ્યું કે “મોક્ષમાર્ગ પ્રકાશ” વાંચુ છું. આથી પોતે પૂછ્યું કે ગ્રંથ કેવો છે? મોહનલાલજીએ કહ્યું : “આપના પ્રતાપે ગ્રંથ અપૂર્વ છે. હે મુનિઓ! આ દેહને તમારો માનશો નહીં પછી પરમકૃપાળુદેવ બેઠા એટલે અમે પણ વિનય નમસ્કાર કરી બેઠા. ત્યારે તેઓશ્રીએ અપૂર્વ કૃપા કરી કહ્યું કે હે મુનિઓ! આ દેહને તમારો માનશો નહીં. જેમ પંથી ચાલતાં કોઈ વૃક્ષ તળે બેસે. પછી તે તજીને ચાલ્યો જાય, તેમ આ દેહ મુકીને ચાલ્યા જવાનું છે. આ પ્રકારે દ્રષ્ટાંત લઈ, દેહાધ્યાસથી મુક્ત કરાવવા, વિશેષ બોઘ કર્યો હતો. તેનો સંક્ષેપ હૃદયમાં એવો રહ્યો કે આ દેહને હવે આપણે પોતાનો માનવો નહીં. પરમગુરુએ કરેલી એ આજ્ઞા આપણા હૃદયમાં સ્થિર રહો.. વીસ દોહરાના સરળ સંપૂર્ણ અર્થ અપૂર્વ રહસ્ય સહિત સમજાવ્યા આ વખતે ખેડાથી બે બાઈઓ દર્શનાર્થે આવેલી, તેના ઉપર દયા લાવી હે પ્રભુ! ના વીસ દોહરા
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy