SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાબોઘ-અશરણ ભાવના બુદ્ધિમાન પુરુષો આત્મધ્યેયને શોધે છે, ઇતિ શ્રી ‘ભાવનાબોઘ’ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર ‘અનિત્યભાવના” એ વિષય પર સદૃષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું. દ્વિતીય ચિત્ર અશરણભાવના (Gum) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાય એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંધ સ્માશે. વિશેષાર્થ ઃ— – સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હૈ ચેતન ! તેને હું આરાધ, આરાધ. તું કેવલ અનારૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવી-ભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદ્રઢ થશે. અનાથી મુનિ દૃષ્ટાંત – અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં નરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારઠિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! અહો ! એનું કેવું મનોહર રૂપ છે! અહો! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહો ! આ કેવી વિસ્મયકારક આ ક્ષમાના ઘરનાર છે ! અહો! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ–નમ્રપણું ધરાવે છે! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદ્ધ છે! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો
SR No.009113
Book TitleDrushtant Kathao
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy