SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઓટલો આપ્યો તે બધું આપ્યું ૪૩ શ્રાદ્ધ દિન કૃત્યની ગાથા ૧૯૧માં આ વાત જણાવતા લખેલ છે કે: સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. વાચના, પૃચ્છના પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા તે “પાંચ પ્રકારને સ્વાધ્યાય નિરાબાધ વસતિમાં માસ કલ્પાદિ રહેલા સાધુઓ સારી રીતે અને અખલિત પણ કરી શકે છે.”—માટે વસલિદાન અવશ્ય કરવું, 1. (૧) ધ્યાન – ધર્મધ્યાન સારી રીતે થઈ શકે તે માટે નિર્દોષ અને જીવાકુલ ન હોય તેવી ભૂમિ અતિ ઉપયોગી બને છે. પણ વસતિ (સ્થાન) ના અભાવે નિશ્ચિત પણે દયાન ન થઈ શકે. (૨) આહારદિક – અસન, પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ વસ્તુઓ સાધુને સહેજે ઉપલબ્ધ હોય છે. પણ વસતિ ન મળે તે શું થઈ શકે? મુંબઈમાં આ કહેવત પ્રસિદ્ધ છે “રોટલો મળે પણ એટલા ન મળે - વિહારમાં સાધુ સાધ્વીજીઓને પણ આ અનુભવ થાય જ છે. ગોચરી–પાણી વહાવનાર ઘણું હોય પણ ઉપાશ્રયના બારણું ન ખુલે ત્યાં સુધી ઉભા રહેવા સિવાય બીજું શું કરે? અને કદાચ વરચે - પંદર-વીસ કિલોમિટર સુધી કેઈ સ્થાન જ ન હોય તે? '' '..માટે વસતિદાન જરૂરી છે. (૩) સુખ – સાધારણ શય્યા વગેરેના સદ્દભાવથી શરીર સ્વાથ્ય ટકી રહે છે. અને દિનગત કિયા પણ સારી રીતે થતા શરીર અને મનને સુખ ઉપજે છે. (૪) ચારિત્ર વિશુદ્ધિ – સ્ત્રી, પશુ, પંડક, ત્રસાદિકના સંસક્ત પણુદિ દોષ રહિત વસતિમાં રહેવાથી ચારિત્રની વિશુદ્ધિ ટકી રહે છે. તે વાત તે સુપ્રસિદ્ધ છે. . આવા અનેક કારણોસર વસતિદાન કરવું આવશ્યક ગણાય. શય્યાદાન કરનારને ઐહિક સુખની પ્રાપ્તિરૂપ ફળ મળે છે. શ્રાદ્ધ દિન કૃત્ય ગાથા ૧૯૯૨માં જણાવેલ છે કે. વિમુર ને અર્થાત્ વસતિમાં મમત્વ રહિત સાધુને જે મનુષ્ય પ્રકુલિત ચિત્તો વસતિદાન આપે છે, તે મનુષ્ય આ જગતમાં પણ સુકીતિ અને ઉત્તમ ફળ ભેગવે છે. એમ જિનેશ્વર પરમાત્મએ ફરમાવેલ છે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy