SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ આદર્શને પાળતા તેણે અઢી દિવસ સુધી પગ ઊંચે રાખી મુ. દાવાનળ શાંત થયે. ક્રમશ બધાં પ્રાણ સ્વસ્થાને ચાલ્યા ગયા. પણ ત્યાં સુધીમાં હાથીને પગ જકડાઈ ગયે. જે તે જમીન ઉપર પગ મુકવા ગયે કે ધડામ કરતી કાયા પૃથ્વી પર પટકાણી મૃત્યુ પામીને તે હાથી થયે મેઘકુમાર. મેઘકુમારે જીવ ગજરાજે સસલે શરણે રાખે રે વીર પાસે જેણે ભવ ભય ભાંજે તપ શકતે કરી રાખ્યો રે. આને કહેવાય અભયદાન–જીવનદાન–ત્યાગ આચરણ કે જીવાડીને જી વિષયની સ્વીકૃતિ. પોતાના શોખ તે શું-જરૂરીયાત તે શું પણ પ્રાણની આહુતિ અપાઈ ગઈ છતાં બીજા પામર જીવને જીવા–અભચદાન દીધું. તે તે જીવ મેઘકુમાર બન્યું. રાજાને કુંવર થયે સુખ પાપે જ પણ ત્યાગના સંસ્કારોથી ચારિત્ર પણ લીધું, વીર પરમાત્માના શરણમાં જઈ પોતાના જીવનને સાર્થક કર્યું. માનવીએ વિચારવા જેવું સુંદર દૃષ્ટાન્ત છે. મને જેમ મારી જીંદગી પ્યારી છે તેમ બધાં જ જીને પણ પોતાની જીંદગી પ્યારી છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં શય્યભવ સૂરિજી જણાવે છે કે – सव्वे जीवावि इच्छंति जीविउ न मरिजिउ બધાંજ જીવો જીવવા ઈચ્છે છે. મરવું કેઈને પસંદ નથી. શાક સમારતા આંગળી ઉપર ચપ્પ લાગે તે ચીસ પડી જાય છે. તે પછી તલખાનાના પ્રાણ પર ફરતી કરવતથી કેમ અરેરાટી નથી થતી ? આ બેવકુફ ગવર્નમેન્ટ કે જ્યાં ખુનના બદલે ૩૦રની કલમ લાગે છે અને ગર્ભપાત કાયદેસર બનતો જાય છે. દુષ્કાળ માટે ઘાસના ગંજ ખડકાય છે અને કતલખાનાના મશીને કદી બંધ થતા નથી. વૃક્ષ બચાવાની બુમ પાડવામાં આવે છે અને જંગલો કપાતા જાય છે. જેના દર્શન માત્ર મનુષ્યના નહીં પણ એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રીય અને તમામ તિર્યંચ પંચેન્દ્રિય સહિત સર્વે જીના અભયદાનની વાત કરે છે. તમને પણ પૂછું કે વિચાર્યો છે કદી ઈરિયાવહી સૂત્રને અર્થ ? एगिदिया, बेदिया, तेइ दिया, चउर दिया, पचि दिया मा मात्र जीवीआओ
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy