SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ રે ભાઈ! તું આપતા શીખ કાળ :- સુકાળ છે કે દુષ્કાળ. એટલે કે લોકો ભાવનાવાળા તે બરાબર હોય પણ તે ક્ષેત્રમાં સુકાળ છે કે દુકાળ તેની વિચારણા કરે તે ખ્યાલ આવે કે ક્ષેત્ર સુભિક્ષ છે કે દુર્ભિક્ષ છે. દ્રવ્ય :- લેકે ભાવનાવાળા છે અને સુકાળ પણ છે તે નકકી થઈ જાય તે શ્રાવક ત્રીજો વિચાર એ કરે કે વસ્તુ દુર્લભ છે કે સુલભ જેમ કે વિહારમાં સાધુમહારાજા જઈ રહ્યા હોય. ખૂબજ ગરમી લાગવાથી કે લુ લાગવાથી મુકામે પહોંચતા બેભાન થઈને કે તાવમાં ઢળી પડે. ત્યાં લકે ભાવુક હોય અને સુખી પણ હોય, પરંતુ ગામડું હેવાથી વૈદ્ય-ડોકટર કે ઔષધે લભ્ય જ ન હોય તે શું કરવું? ક્ષેત્ર – ક્ષેત્ર વિહારને એગ્ય છે કે કેમ? આ રીતે જેમ એક કુશળ વૈદ્ય દેશ-કાળ આદિને વિચાર કરી આ વ્યાધિવાળા દદીની ચિકિત્સા કરે છે. તે રીતે શ્રાવક પણ બધે જ વિચાર કરી સુપાત્રમાં આહારદાન કરે છે. પ્રશ્ન :- ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ એક પ્રશ્ન કર્યો કે હે ભગવન્! કેઈ શ્રાવક સાધુને અપ્રાસુક (સચિત્ત) અને અષણીય એવા અશનાદિકથી પડિલાભે તે શું ઉપાર્જન કરે ? સમાધાન :- હે ગૌતમ તે ઘણી કમ નિર્ભર કરે અને અતિ "અ૫ પાપ બાંધે. . આ ઉપરાંત ગ્લાન વગેરેની વૈયાવચ્ચ માટે આઘાકર્માદિક આહારની આજ્ઞા પણ અપાયેલી છે. સુબાહકુમારને પાંચસો રાણીઓ છે દરેક ને માટે અલગ એવા પાંચસો મહેલ પણ છે. સુબાહુકુમાર મનુષ્યને એગ્ય એવા ઉત્તમ ભેગે જોગવી રહ્યા છે. એક વખત સુબાહકુમાર પ્રભુના વંદન માટે ગયેલા. તેની ઋદ્ધિ– સમૃદ્ધિ જોઈને ગૌતમ સ્વામીએ પૂછયું કે હે ભગવન્! કયા સત્કર્મના પ્રભાવથી આ કુમારને આટલી બધી ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થઈ ? વીર પરમાત્માએ ફરમાવ્યું કે પૂર્વના ભવે તે સુબાહકુમારને જીવ સૂમ નામે એક વેપારી હતા. તેણે ધર્મષસૂરિજીના શિષ્ય સુદ્ધા મુનિને અતિ હર્ષિત અને ઉલ્લસિત્ત ચિત્તે મા ખમણના પારણે પડિલાવ્યા હતા. તેથી જે ભેગફળનું ઉપાર્જન કર્યું તે આ ભવે ભોગવી રહ્યો છે. ' I ? : +
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy