SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ વિદ્યાથી પર પડી. તે વિદ્યાથીના મુખ પર લાચારીને ભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેની ગરીબાઈની સાક્ષી તેને ઉતરી ગયેલે ચહેરો આપી રહ્યો હતો. આ જોઈ મુસોલિનીનું હૃદય દ્રવી ઉઠયું, તેણે ઉઘાડેલે ડબ્બે પેલા વિદ્યાથી સામે ધર્યો, કહ્યું કે દસ્ત, તું આ બધું ખાઈ લે. વિદ્યાથી જરા સંકેચાઈને બેલ્યો. હું બધું ખાઈ જઈશ તે તમે શું કરશે ? મુસલીની કહે, દસ્ત તું એની ચિંતા ન કર. | મુસલીની ખરેખર ભુખ્યો હોવા છતાં બે, દસ્ત! મને જરા પણ ભુખ જ નથી. પેલા વિદ્યાથી એ ખાવા માંડ્યું–ખાવા માંડયું. મુસલીનીને તે જોતાં હર્ષ અને આનંદની માત્રા વધતી જ ગઈ. પેલો વિદ્યાથી બધે જ નાસ્તો કરી ગયો ત્યારે મુસલીની આનંદથી નાચી ઉઠયો. ભાવ વિભોર થઈ ગયે. ભાવની મસ્તીમાં પિતાની ભુખ છે તે વાત પણ વિસરી ગયે. આ છે ભાવની પરાકાષ્ઠા. શ્રેષ્ઠ સુપાત્રદાનના ભાવ ભાવતા ઝરણ શ્રેષ્ઠીને યાદ કરે જરા! જે ભાવની ધારાએ ચડતા રહ્યા હતા તે કૈવલ્ય લબ્ધિને વર્યા હત–પણ ભણવંતનું પારણું થઈ જતાં ભાવ ધારા અટકી અને અશ્રુત સુરલોકમાં ગય. ભાવ કુલકમાં ભાવનું મહત્વ જણાવતા લખે भावोच्चिय परमत्था भावो धम्मस्स साहगो भणिओ सम्मत्तस्सवि बीअ भावच्चिय बिति जगगुरुणो ભાવ જ શ્રેષ્ઠ પરમાર્થ છે. ભાવ જ ધર્મનું સાધન છે, ભાવ જ સમ્યકત્વનું બીજ છે. તેમ જગગુરુ પરમાત્માએ કહ્યું છે. પ્રશ્ન :- ભાવનું આટલું મહત્વ છે, તે પછી ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ ભાવ કેમ ન મુ ? સમાધાન :- ભાવનું અનુસંધાન ચારે ધર્મ સાથે જાડાયેલું હોવાથી મા જ એ પ્રમાણે અલગ છેલે મુકયું. દાન પણ ભાવપૂર્વકનું હોવું જોઈએ. શીલ પણ ભાવપૂર્વકનું જોઈએ, તપ પણ ભાવપૂર્વકનું જોઈએ. આગળ વધીને કહી દીધું કે ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન સૂત્રકારે પણ વાળ ત ગ મ ] એમ માની પૂર્વ– પશ્ચાત્ ૧ (૨) અને મુકયું એક વખત એ કાર મુકે તે પણ
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy