SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ૧૪ સદ્દગતિને આપનારું બને છે. તમે ટુંકમાં એક વાકચ સમજી રાખેા. રે ભાઈ! તું આપતા શીખ શ્રી દશવૈકાલિક સૂત્રમાં ફરમાવેલ છે કે दुल्लहाओ मुहादाई मुद्दाजीवी बि दुल्लहा मुहादाई मुहाजीवी दोवि गच्छेति सुगइ કાઈપણ પ્રકારની ઇચ્છા વિના દાન કરનારા એટલે કે નિઃસ્વા દાતા દુલ ભ છે અને ફાગઢ જીવનારા નિઃસ્વાર્થ જીવનારા પણુ દુભ છે. આવા દાતાર અને આવી આજીવિકાવાળા અને સદગતિને પામે છે. - શાલીભદ્ર પૂર્વ જન્મમાં સ ંગમા નામના એક સામાન્ય ગાવાળ પુત્ર છે. અતિ દરીદ્ર અવસ્થામાં જીવન વિતાવે છે. ખૂબ રડી રડીને ખીર ખાવા માટે મેળવેલી છે. પણ પૂર્વે શેઠના ભવમાં મુનિને દાન દેવાની તીવ્ર ઇચ્છા થતા દાદરા ઉતરવા ગચા ને સીડી પરથી પડી જતાં મૃત્યુ થયેલું હતું. તે દાનના સંસારથી વાસિત આત્માએ બધી જ ખીર વહેારાવી દીધી. પાત્ર પણ કેવું ઉત્તમ, માસખમણને પારણે મુનિરાજ પધાર્યા છે. તપસ્વી મુનિને નિઃસ્વાર્થ ભાવે ધી જ ખીર વહેારાવી છે. ઉત્કૃષ્ટ ભાવથી વહેારાવી છે. મુધાવાર પણે વહેારાવેલી ખીરના પ્રભાવે શાલીભદ્રને રાજ નવાણું પેટી સીધી સ્વર્ગમાંથી આવવા લાગી. તે ઋદ્ધિ-સમૃદ્ધિના ત્યાગ કરીને સવાર્થ સિદ્ધ વિમાનના સુખને પામ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ શાશ્વત સુખને પામનારા થશે. સામાન્ય ગે!વાળ પુત્રે પણ આવા ઉત્તમ ભાવથી સત્પાત્રમાં દાન કર્યું...તા તેને ભૌતિક સુખ, સ્વર્ગનું સુખ અને શાશ્વત સુખ બધું જ પ્રાપ્ત થયુ' માટે—રે ભાઈ! તું આપતા શીખ. સુપાત્ર ત્રણ પ્રકારે બતાવ્યા છે. ઉત્તમ-મધ્યમ-જન્ય, તીથ કર તા ઉત્તમાત્તમ પાત્ર છે જ— ઉત્તમપાત્ર સાધુ–સાવીજી ભગવત. મધ્યમ પાત્ર - શ્રાવક-શ્રાવિકાઓ. જધન્ય પાત્ર અવિરતિ-સમ્યક્ત્લી. શાકારાએ ઉત્તમ સુપાત્રને રત્નની, મધ્યમ સુપાત્રને સુવર્ણની અને જઘન્ય સુપાત્રને કાંસાની ઉપમા આપી છે. એટલા માટે જ પ્રારભના
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy