SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ તે શું કઈ કામી પુરૂષ તેની પ્રેમિકા માટે ઘરબાર-સગાં સંબંધિ છેડી દે તે વ્યુત્સર્ગ? વ્યસર્ગ [] એટલે શું? માત્ર ચીજ-વસ્તુ છોડવાનું નામ ઉત્સર્ગ નથી “ત્યાગ કરો – પણ શેને? એ પ્રશ્નનો ઉત્તર આપતા જણાવે કે ઉત્સર્ગમાં મમત્વને ત્યાગ કરવાનું છે. અહને ત્યાગ કરવાનું છે, કારણકે માત્ર વસ્તુ છોડવી તે જ વ્યુત્સર્ગ ગણાતો હોય તો તમે રોજેરોજ મળ-મૂત્રમેલ વગેરેને ત્યાગ કરે જ છે ને? તે તે પછી મકાનમાંથી કરે કાઢવે તે પણ વ્યુત્સર્ગ ગણાશે. ઉત્સર્ગ એટલે દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કરવાનું છે. તેમાં બત્ર એટલે “હું પણું” અને મમતા–“માણ પણા ને ત્યાગ કરવાને છે. ઉત્સર્ગના ભેદને જણાવવા તત્વાર્થ ધિગમ સૂત્રના અધ્યાય નવમાં સૂત્રઃ ૨૬ મું લખ્યું કે, વાસ્થrશ્ચત્તોડ્યો : બાહ્ય અને અભ્યતર ઉપધિને (ઉત્સર્ગ) ત્યાગ ક જોઈએ. બાહ્ય ઉત્સર્ગ એટલે ઉપધિ-વસ્ત્ર–પાત્ર ઉપકરણ વગેરેમાંથી મમત્વ ખેંચી લેવું તે– અત્યંતર ઉત્સર્ગ એટલે શરીર પરત્વેની મમતાને ત્યાગ અને કાષાયિક વિકારોમાંથી તન્મયતા ખેંચી લેવી તે– દ્રવ્યથી અને ભાવથી ઉત્સર્ગને સમજાવવા માટે શાસ્ત્રકારો સતા ભેદ જણાવે છે. ત્યાગ કરે પણ શેને? આ પ્રશ્નને ઉત્તર આપે આપ અહીં મળી જશે – આ દ્રવ્ય-ઉત્સગ -- દ્રવ્યથી કાયાન, ગણને, ઉપધિને અને ભક્ત પાનને એ ચાર ઉત્સર્ગ [ત્યાગ] કરવા. ભાવ-ઉત્સગ – કષાય ત્યાગ, સંસાર ત્યાગ અને કર્મ ત્યાગ તે ત્રણ ભાવ ઉત્સર્ગ કહ્યાં. (૧) કાય–ઉત્સર્ગ: – કાત્સર્ગનો સામાન્ય અર્થ છે દેહ સંબંધિ મમત્વને ત્યાગ, સોરઠમાં ઈતરીયા ગામે સૂથે ઘાંઘલ નામે એક કાઠી રહે તે
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy