SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ પ્રતિપ્રશ્ન :- આપ શ્રી વીર પ્રભુના ઉદાહરણ થકી ઉપસર્ગના દછાત દ્વારા કાગ વડે કલેશ સહન કરવાનું સમજાવે છે તે બશબર પણ ભગવાન્ તે પ્રથમ સંહનનવાળા હતા. વર્તમાનકાલે તે કેવી રીતે ઘટી શકે ? સમાધાન – આપની શંકા વ્યાજબી છે. કેમકે શ્રાવકના અતિચારમાં પણ કાયકલેશ તે ચાદિક કષ્ટ સહન કર્યા નહીં એમ લખેલ છે. છતાં ખૂબજ નજીદના કાળને એક સત્ય અને ઐતિહાસિક પ્રસંગ જણાવું. લગભગ ઈ. સ. ૧૪૭૩ ના સમયની વાત છે. જેસેજ–વેજી નામે બે ભાઈએ બહારવટે ચડેલા હતા. માગે ધીંગાણું મંડાતા આવે છે. પાંચે પઠાણ ને ભેંય ભેગા કરીને રાવલ કાંઠે આંબીને ચાલ્યા આવે છે ત્યાં એક બુટ્ટા રાજપુત સામે આંગળી ચીંધીને જેસેજી બોલ્યા ભાઈ વેજા ! “જોયા આ દાદાને ?” વેજાજીએ નજર કરી તે તરફ ઉઘાડે ડિલે બેસીને નીચેથી કંઈક વીણી રહ્યા છે. વીણી વીણી ખભા ઉપર નાખી રહ્યા છે. જેસેજી–વેજોજી બંને દાદાની પડખે જઈને જુએ છે તે દાદાની ઉઘાડી પીઠ ઉપર માંસમાં એક મેટો ખાડો દીઠે. તે ખાડામાં કીડા ખદબદી રહ્યા છે. કાં દાદા ! પાઠાને કેમ છે હવે ? છોરા માંઈ જીવાત્યુ પડી ગઈ છે. ઉઘાડું છું ત્યાં તે ઉછળી ઉછળીને જીવાત્યું બહાર પડે છે. તે દાદા પાછા કાં વીણો છો? બાપ એને કાંઈ મરવા દેવાય. એને એનું ઘર કાંઈ છુડાવાય છે? એટલે પાઠામાં પાછી મેલું છું. અરે દાદા જીવાત્ય ને આમ જીવાડવી? તે તમને ફેલીને ખાઈ ન જાય ? બેટા! બહારવટાને ધરમ એટલે તે જતિન ધરમ કેવાય. જીવાત્ય ને મરવા ન દેવાય. એના તે જતન કરાય બેટા! તે તે ડીલને ફેલી નાખશે દાદા. શેર લોટને પીડે રેજ પાઠામાં ભરીએ, જીવડાં લોટ ખાય અને કાયા બચી જાય બેય વાતે ઠીક. દુઃખીયો ડેસો લહેરથી દાંત કાઢવા
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy