SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રક જીભની લાલસાને ૧૩૭ ન બને તેમ જણાવવા આ જીભ બહાર કાઢું છું. તેથી તમને ખ્યાલ રહે, તમે પણ “રેકે જીભની લાલસાને આ પાપી જીવ વીતરાગના ધર્મને પામ્યા છતાં તેનું સમ્યફ પ્રકારે પાલન નહીં કરવાથી ઘણા કાળ સંસારમાં ભટકશે. માટે તે સાધુઓ તમે જિન ધર્મને પામીને રસ લંપટ ન થતાં રસત્યાગ તપમાં પ્રવર્તો. આ જ મહત્ત્વને ફર્ક છે સાધુ અને ગૃહસ્થમાં. ભૂલ તો બંને કરે પણ સાધુને શાસ્ત્રજ્ઞાન અને આચરણ હોવાથી પશ્ચાતાપ જલદીથી થઈ શકે છે. ગૃહસ્થ અજ્ઞાની હોવાથી ભટકયા કરે છે. મંગુસૂરિજીના શિષ્યોએ ચક્ષની વાત સ્વીકારી રસત્યાગ તપનો ઉપદેશ આપવો શરૂ કર્યો. जीवेण जाणि विसज्जियाणि, जाईसएसु देहाणि थोवेहि तवा सयलपि तिहुयण हुज्ज पडिहत्थ [ હે ભવ્ય પ્રાણીઓ 1 જીવે [ એકેન્દ્રિયાદિ ] સેંકડો જાતિઓને વિશે [ પૂર્વ ગ્રહણ કરી કરીને ] જેટલા શરીરને ત્યાગ કર્યો છે. તેમાંથી ડાં પણ [ સર્વ નહીં તેટલા] શરીરોએ કરીને સકલત્રિભુવન [ ત્રણે જગત] પરિપૂર્ણ થઈ જાય એટલે કે ભરાઈ જાય. हिमवत मलय मदिर दीवा, दहिधगि सरिसरासीओ अहि अय। आहारा छुहिएणाहारिआ हाज्जा ક્ષધિત ભુખ્યા થયેલા એવા આ જીવે હિમવંત પર્વત, મલયાચલ પર્વત, મંદર (મેરુ) પર્વત, જંબુદ્વિપ વગેરે અસંખ્યાત દ્વિપ, લવણ સમુદ્રાદિક અસંખ્ય સમુદ્રો અને રતન પ્રભાદિક સાત પૃથ્વીઓ જેવડા મોટા ઢગલાઓથી પણ અતિ અધિક આહાર ભક્ષણ કરેલો છે. તે પણ તેની સુધા શાંત થઈ નહીં. અને લેાકનો સમન્વય કરતાં કહી શકાય કે ત્રણ જગત ભરાય જાય તેટલા શરીરમાં ઉત્પન્ન થશે અને છોડીને આવ્યો. તેમજ તે શરીરમાં રહેતા રહેતા જે આહાર કર્યો તેમાં અસંખ્યાતા પુદ્ગલ દ્રવ્ય ભક્ષણ કર્યા તેમ છતાં ભુખ શાંત થઈ નહીં. માટે તે મનુષ્યો આ જીભ-રસનેન્દ્રિયનો જય કરે. મતલબ કે કેવળ સુધા પૂર્તિ માટે તેમાં ગમે તે પધરાવો, પણ સ્વાદ લાલસામાં પડશો નહીં. न रणे निजिते शूरो, शूर इन्द्रियाणां जये
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy