SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ભોજન કયારે કરીશ? સંસાર એકત્વ આદિ ભાવનાઓ ભાવીને નિર્જન ઘર કે શમશાનમાં ધર્મધ્યાનમાં લીન બની કયારે ઉભે રહીશ ? નિર્જન ભૂમિ કે પર્વત કે ગુફામાં જ્ઞાન-દર્શન–ાત્રિ–વીર્યની આરાધના હું ક્યારે કરીશ? આ પ્રમાણે સત્વ અને સાર વગરેને એવો હું માત્ર મારા કરું છું. ખરેખર તો મારો આ જીવ પાપી છે. પાપારંભ માટે જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ધર્મ જાગરિકા કરતાં ધન્ય મુનિને થાય છે કે હવે આ દેહ શુષ્ક બન્યા છે તે સવાર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરી વિપુલગિરિ પર જઈને માસિક સંખના કરી જીવિત અને મરણમાં સમભાવ રાખતો વિચરીશ. અહીં જ શરૂ થાય છે અનફાન તપને બીજો ભેદ ચાવથ બનશન મૃત્યુ પર્યન્ત આહાર ત્યાગ. આજીવન ભૂખ્યા રહેવાની કલા તેને કેટલાંક સંથારા તરીકે પણ ઓળખાવે છે. જેમાં મૃત્યુ પર્યત આહારની કઈ આકાંક્ષા રહેતી જ નથી. પણ આ અનશનની પૂર્વ શરત છે વિશિષ્ટ શ્રતધારીની આજ્ઞા– વર્તમાનમાં આવા જ્ઞાનીને વિરહ હોવાથી વત્કથિત બનાન લઈ શકાતું નથી. જવજવ જનન તપ ત્રણ પ્રકારે વર્ણવે છે. (૧) પાદપપગમન (૨) ઈગીની મરણ (૩) ભક્તપરજ્ઞા શાસ્ત્રકાર મહર્ષિ સત્તર પ્રકારના મૃત્યુનું સ્વરૂપ જણાવતા છેલ્લા જે ત્રણ ભેદ મૃત્યુના જણાવે તેમાં– (૧) ભક્ત પરીક્ષા - ભક્ત એટલે ભોજન તેમાં ઉપલક્ષણથી પાન, ખાદીમ, સ્વાદમ સવેને સમાવેશ થાય છે. જીવ વિચારે કે આ વસાન પાન વગેરે મેં ઘણીવાર વાપર્યા તે સારા પાપના હેતુભૂત છે. માટે તેને ત્યાગ કરવો જોઈએ. એમ જાણીને પ્રત્યાખ્યાન વડે ભાતપાણી વગેરેને ત્યાગ કરીને જે અનશન સ્વીકારવું તે ભક્ત પરિણા. (૨) ઈગિની મરણ :- ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનપૂર્વક નિયમિત કરેલા પ્રદેશમાં મરણ પામવું તે ઇંગિની મરણ – આ મરણ ઉનાદિક કરતા એવા મુનિને જ હોય છે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy