SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં જઈને ફરીથી સાધુની માફી માંગું ?' તેવો વિચાર તેમને આવતો રહ્યો. સાથોસાથ - એમને ત્યાં જતાં શરમ લાગી. એટલે તે જઈ પણ ન શકવા અને રહી પણ ન શક્યા. ૩૭. સળગી રહેલા સાધુને જોવાનું પાપ કરનારી આંખને નિદ્રાએ સાથ ન આપ્યો. પોતાનાં ઘોકૃત્યને લીધે તે મનોમન વેદના અનુભવતા રહ્યા. એમની શક્તિ ગળી ગઈ હતી. એમની શાંતિ નાશ પામી ગઈ હતી. ૩૮. ઘોર અંધકારને લીધે દિશા સૂઝતી ન હતી. ઉજ્જૈની નગરી જાણે યમુનાનાં પાણીમાં ગરક થઈ ગઈ હતી. તેમનાં ઘ૨ ૫૨ જાણે સ્મશાનની કાળી રાખ પથરાઈ ગઈ હતી. અને સાપે ઝેરીલો ડંખ માર્યો હોય તે રીતે તેમનું શરીર જડ બની ગયું હતું. ૩૯. કિયા પર આંસુઓની ધારાની રેખા અંકાઈ ગઈ. પસીનાની ભીનાશથી પથારી ચીકણી થઈ ગઈ. લાંબા નિસાસાને લીધે મોઢું શ્યામ થઈ ગયું. મહામહેનતે તેમણે રાત પૂરી કરી. ૪૦. સવારે ઉઠીને તેમણે નિત્યકર્મો પતાવ્યા. તે બોલતા નહોતા. તેમનામાં સ્ફૂર્તિ ન હતી. તેમનામાં ઉત્સાહ નહોતો. અધ્યાત્મની સાધના કરનારા સાધુની જેમ જ તેમને ભાન નહોતું કે મે શું ખાધું, શું પીધું અને શું પહેર્યું.' ૪૧. એમની નજ૨ ન પત્ની પર પડી, ન માતા ૫૨. એમણે નોકરોને કોઈ આદેશ ન કર્યો. વાળ સજાવવા અરીસામાં મોઢું પણ ન જોયું તેમણે. જાણે કે માણેકચંદજી વિરાગી બની ગયા હતા. ૪૨. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૫ ૯૩
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy