SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ a૬ સૂત્ર-૮૬ સિદ્ધ થઈ શકે છે. (૯) જ્ઞાનદ્વાર :- વર્તમાનની અપેક્ષાએ ફક્ત કેવળજ્ઞાનથી જ સિદ્ધ થાય છે. પરંતુ પૂર્વાવસ્થાની અપેક્ષા (૧) કોઈ મતિ, શ્રત, કેવળજ્ઞાનથી એમ ત્રણ જ્ઞાન સ્પર્શીને, (૨) કોઈ મતિ શ્રત અવધિ અને કેવળજ્ઞાનથી એટલે આ ચાર જ્ઞાન સ્પર્શીને, (3) કોઈ મતિ, કૃત, મન:પર્યવ અને કેવળજ્ઞાનથી, (૪) કોઈ મતિ, ધૃત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. (૧૦) અવગાહનાદ્વાર :- જઘન્ય બે હાથ, મધ્યમ સાત હાથ અને ઉત્કૃષ્ટ પno ધનુષ્યની અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય છે. (૧૧) ઉત્કૃધ્ધાર :- કોઈ સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી પ્રતિતિ થઈને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ વ્યતીત થવા પર સિદ્ધ થાય છે. કોઈ અનંતકાળ પછી સિદ્ધ થાય છે અને કોઈ સંખ્યાતકાળ તેમજ કોઈ સંખ્યાતકાળ પછી સિદ્ધ થાય છે. (૧૨) અંતરદ્વાર :- લોકમાં સિદ્ધ થવાનો વિરકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ છે. ઉત્કૃષ્ટ છ માસ પછી અવશ્ય કોઈને કોઈ સિદ્ધ થાય જ છે. (૩) અનુસમયદ્વાર :- નિરંતર સિદ્ધ થવાનો સમય જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધીનો છે. બે સમય કે આઠ સમય સુધી લગાતાર સિદ્ધ થતા જ રહે છે, આઠ સમય પછી અવશ્ય અંતર પડે છે. (૧૪) સંખ્યદ્વાર - જઘન્ય એક સમયમાં ચોક અને ઉત્કૃષ્ટ એકસોને આઠ સિદ્ધ થાય છે તેનાથી અધિક સિદ્ધ એક સમયમાં થાય નહીં. (૧૫) અલાબહdદ્વાર :- એક સમયમાં બે, ત્રણ સાદિ સિદ્ધ થનારા સ્વય જીવ હોય છે. એક એક સિદ્ધ થનારા તેનાથી સંખ્યાલગણા અધિક છે. (૨) દ્રવ્યદ્વાર : (૧) ક્ષેત્રદ્વાર :- ઉર્વલોકમાં ઉત્કૃષ્ટ એક સમયમાં ચાર સિદ્ધ થાય છે. નિષધપર્વત મેર આદિના શિખર અને નંદનવનમાંથી ચાર, નદીનાળામાંથી પ્રણ, સમુદ્રમાં બે, પંડકવનમાં બે, ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રોમાંથી પ્રત્યેકમાં દસ-દસ (સંહરણની અપેક્ષાએ) સિદ્ધ થાય. પ્રત્યેક વિજયમાં ઉત્કૃષ્ટ ૨૦, પંદર કર્મભૂમિના ફોકોમાં એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. ઉપર્યુક્ત દરેક ક્ષેત્રોમાં જઘન્ય એક સિદ્ધ થાય છે. (૨) કાળદ્વાર - અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં અલગ અલગ ઉત્કૃષ્ટ ૧૦૮, પાંચમા આરામાં ૨૦ સિદ્ધ થાય છે, તેનાથી અધિક નહીં. ઉત્સર્પિણીકાળના ત્રીજા અને ચોથા આરામાં પણ ૧૦૮ સિદ્ધ થાય છે. શેષ સાત આરામાં સંહરણની અપેક્ષાએ એક સમયમાં દસ-દસ સિદ્ધ થાય છે. (3) ગતિદ્વાર :- રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાપભા. આ ત્રણ નરક ભૂમિમાંથી નીકળેલ એક સમયમાં દસ, પંકપ્રભાવી નીકળેલા ચાર, સામાન્ય રૂપે તિર્યચથી નીકળેલા દસ, વિશેષરૂપે પૃથ્વીકાય અને અપકાયથી ચાર-ચાર અને “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વનસ્પતિકાયથી નીકળેલા છ સિદ્ધ થાય છે. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયથી નીકળેલા મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પરંતુ સિદ્ધ થાય નહીં. સન્ની તિર્યંચ તિર્યંચાણીમાંથી નીકળેલ દશ સિદ્ધ થાય. સામાન્યતઃ મનુષ્યગતિથી આવેલ વીસ, તેમાં પણ પુલ્લિગથી નીકળેલ દસ, આલિંગથી નીકળેલ વીસ, દેવગતિથી નીકળેલ ૧૦૮ સિદ્ધ થાય છે. તેમાં પણ ભવનપતિથી નીકળેલ દસ, તેની દેવીથી નીકળેલ પાંચ, વાણથંતસ્થી નીકળેલ દસ, તેની દેવીથી નીકળેલ પાંય, જ્યોતિષી દેવથી નીકળેલ દસ, તેની દેવીથી નીકળેલ વીસ, વૈમાનિક દેવોથી નીકળેલ ૧૦૮ અને તેની દેવીઓથી નીકળેલ એક સમયમાં વીસ સિદ્ધ થાય છે. (૪) વેદદ્વાર :- એક સમયમાં સ્ત્રીવેદી ૨૦, પુરુષવેદી ૧૦૮ અને નપુંસકવેદી ૧૦ સિદ્ધ થાય છે. પુરુષ મરીને ફરી પુરુષ બને તો ૧૦૮ સિદ્ધ થાય છે. એટલે કે દેવ પુરુષથી આવેલા પુરુષ સિદ્ધ થાય તો ૧૦૮ સિદ્ધ થાય છે. (૫) તીર્થંકરદ્વાર - પુરુષ તીર્થકર એક સમયમાં ચાર, સ્ત્રી તીર્થકર એક સમયમાં બે સિદ્ધ થાય છે. (૬) બુદ્ધદ્વાર - એક સમયમાં પ્રત્યેક બુદ્ધ ૧૦, સ્વયંભુદ્ધ ૪, બુદ્ધબોધિત ૧૦૮ સિદ્ધ થાય છે. () લિંગદ્વાર: એક સમયમાં ગૃહલિંગી ૪, અન્યલિંગી ૧૦, સ્વલિંગી ૧૦૮ સિદ્ધ થાય છે. | (૮) ચારિદ્વાર - સામાયિક ચાસ્ત્રિની સાથે સૂક્ષ્મ સંપરાય તથા ચયાખ્યાત ચારિત્રનું પાલન કરનાર એક સમયમાં ૧૦૮, છેદોષસ્થાનીય સાથે ચાર ચાસ્ત્રિનું પાલન કરનાર પણ ૧૦૮ અને પાંચે ચાસ્ત્રિનું પાલન કરનારા એક સમયમાં ૧૦ સિદ્ધ થાય છે. (૯) જ્ઞાનદ્વાર - પૂર્વભાવની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ઉત્કૃષ્ટ ચાર, મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાની દસ, મતિ, શ્રુત અને અવધિજ્ઞાન તથા ચાર જ્ઞાનની સ્વામી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા ૧૦૮ સિદ્ધ થાય છે. (૧૦) અવગાહનાદ્વાર - એક સમયમાં જઘન્ય અવગાહના ધારણ કરનાર ઉત્કૃષ્ટ ૪, મધ્યમ અવગાહનાધારી ઉત્કૃષ્ટથી ૧૦૮ અને ઉત્કૃષ્ટ અવગાહનાધારી બે સિદ્ધ થાય છે. (૧૧) ઉત્કૃષ્ટદ્વાર - અનંતકાળના પ્રતિપાતિ જો ફરી સભ્યત્વ પ્રાપ્ત કરે તો એક સમયમાં એકસો આઠ, અસંખ્યાતકાળ અને સંખ્યાતકાળના પ્રતિપાતિ એક સમયમાં દસ-દસ સિદ્ધ થાય. અપ્રતિપાતિ સમ્યવી ચાર સિદ્ધ થાય છે. (૧૨) અંતરદ્વાર :- એક સમયનું અંતર પામીને અથવા બે સમય, ત્રણ સમય અને ચાર સમયનું અંતર પામીને સિદ્ધ થાય છે. આ ક્રમ પ્રમાણે આગળ પણ સમજવાનું. (૧૩) અનુસમયદ્વાર :- જો આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થતાં જ રહે
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy