SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૧૫o ૨૧૧ અપેક્ષા ન કરે અને બીજા પદો પણ પ્રથમ પદની અપેક્ષા ન રાખે. જેમકે - ધH मंगलमुक्टुिं । આનું વર્ણન અચ્છિન્નચ્છેદ નયના મતે આ પ્રમાણે છે. જેમકે - ધર્મ સર્વથી ઉત્કૃષ્ટ મંગલ છે. પ્રશ્ન થાય છે કે તે કેવા પ્રકારનો ધર્મ છે કે જે સર્વોત્કૃષ્ટ છે? ઉત્તર - fક્ષા સંગમો તો . આ રીતે બન્ને પદ સાપેક્ષ સિદ્ધ થઈ જાય. • સૂત્ર-૧૫૦/૧૧ થી ૧૫૩ :[૧૫/૧૧) પ્રd * પૂર્વગત-દૈષ્ટિવાદના કેટલા પ્રકાર છે? ઉત્તર : પૂર્વગત-દૈષ્ટિવાદના ચૌદ પ્રકાર છે, જેમકે – (૧) ઉત્પાદપૂર્વ () અગ્રાયણીપૂ4 (3) વીર્યપવાદપૂર્વ (7) અસ્તિનાસ્તિપતરાદપૂર્વ (૫) જ્ઞાનાપવાદપૂર્વ (૬) સત્યવાદપૂર્વ () આત્મપ્રવાદ પૂર્વ (૮) કમપવાદપૂર્વ (6) પ્રત્યાખ્યાનપૂર્વ (૧૦) વિધાનપવાદપૂર્વ (૧૧) અવધ્યપૂર્વ (૧૨) પ્રાણાયુપૂર્વ (૧૩) ક્રિયા વિશાળપૂર્વ (૧૪) લોકબિંદુસારપૂર્વ (૧) ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુ અને ચાર ચૂલિકા વધુ છે. (૨) આગાણીયપૂર્વમાં ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વધુ છે. ૩) વીfપવાદપૂર્વમાં આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે. (૪) અસ્તિનાસ્તિપવાદપૂર્વમાં અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વધુ છે. (૫) જ્ઞાનપ્રવાદપૂર્વમાં બાર વસ્તુ છે. (૬) સત્યાવાદપૂર્વમાં વસ્તુ છે. (૭) આત્મપ્રવાદ પૂર્વમાં સોળ વસ્તુ છે. (૮) કર્મપ્રવાદપૂર્વમાં ત્રણ વસ્તુ કહેલ છે. (૯) પ્રત્યાખ્યાનપૂર્વમાં વીસ વસ્તુ છે. (૧૦) વિધાનુવાદપૂર્વમાં પંદર વસ્તુ કહેલ છે. (૧૧) અવંધ્યપૂર્વમાં બાર વસ્તુ બતાવી છે. (૧૨) પ્રાણાયુપૂર્વમાં તેર વસ્તુ છે. (૧૩) ક્રિયાવિશાળપૂર્વમાં ત્રીસ વજી કહેલ છે. (૧૪) લોકબિંદુસારપૂર્વમાં પચ્ચીસ વસ્તુ છે. ૧૫૧ થી ૧૫] [સંગ્રહણી ગાથાનો ભાવાર્થ આ પ્રકારે છે–] પહેલામાં ૧૦, બીજામાં ૧૪, ત્રીજામાં ૮, ચોથામાં ૧૮, પાંચમામાં ૧૨, છઠ્ઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામાં 30, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગિયારમામાં ૧૨, બારમામાં ૧૩, તેરમામાં ૩૦ અને ચૌદમામાં ૫ વસ્તુ છે. આદિના ચાર પૂર્વમાં કમથી – પ્રથમમાં ૪, બીજામાં ૧૨, બીજામાં ૮ અને ચોથા પૂર્વમાં ૧૦ ચૂલિકાઓ છે. શેષ પૂવમાં ચૂલિકાઓ નથી. આ પ્રમાણે આ પૂવગત દૈષ્ટિવાદ અંગદ્યુતનું વર્ણન છે. • સૂત્ર-૧૫૪ - [૧૫૪/૧] પ્રશ્ન - અનુયોગ કેટલા પ્રકારનો છે ? ૨૧૨ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ઉત્તર :- અનુયોગ બે પ્રકારનો છે, જેમકે – (૧) મૂલાથમાનુયોગ અને ગંડિકાનુયોગ. પ્રન • મૂલાથમાનુયોગમાં કોનું વન છે ? ઉત્તર :- મૂલપથમાનુયોગમાં અરિહંત ભગવંતના પૂર્વભવોનું વર્ણન છે. તેમનું દેવલોકમાં જવું, દેવલોકનું આયુષ્ય, દેવલોકથી ચ્યવીને તીર્થક્ય રૂપે જન્મ, દેવાદિકૃત જન્માભિષેક, રાજ્યાભિષેક, પ્રધાન રાજ્યલક્ષ્મી, પdયા (મુનિદી), ત્યારબાદ ઘોર તપશ્ચર્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ કરવી,. શિષ્ય સમુદાય, ગણ, ગણધર, આયજીઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘની પમિાણ સંખ્યા, જિન-સામાન્ય કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તેમજ સમ્યગૃજ્ઞાની, વાદી, અનુત્તરગતિ અને ઉત્તરવૈક્રિયધારી મુનિ, જેટલા મુનિ સિદ્ધ થયા હોય, મોક્ષ માર્ગ જેણે બતાવ્યો, જેટલા સમય સુધી પાદપોપગમન સંથારો કર્યો હોય, જે સ્થાન પર જેટલા ભકતોનું છેદન કરી કમોંનો અંત કર્યો હોય, અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુકત થઈને જે મહામુનિએ મોક્ષના સુખને પ્રાપ્ત કર્યું હોય ઈત્યાદિ. અને એ સિવાય અન્ય ભાવો પણ મૂલપથમાનુયોગમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે મૂલાપથમાનુયોગનું વર્ણન છે. ૧૫૪/ર પ્રશ્ન :- ચંડિકાનુયોગ કોને કહેવાય? ઉત્તર » ગંડિકાનુયોગમાં કુલકíડિકા, તીકíડિકા, ચક્રવર્તિપંડિકા દશાગ્રંડિકા, બલદેવચંડિકા, વાસુદેવચંડિકા, ગણધર્મોડિા, ભદ્રબાહુગંડિકા, તપકર્મચંડિકા, તપકર્મચંડિકા, હરિવંશગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, સિમાંતખંડિકા, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમન અને વિવિધ પ્રકારના સંસારમાં પર્યટન ઈત્યાદિ ગ્રંડિકાઓ કહી છે. આ રીતે પ્રજ્ઞાપન કરેલ છે. આ પ્રકારે ગંડિકા અનુયોગનું વર્ણન છે. • વિવેચન-૧૫૪/૧,૨ - ઉકત સૂત્રમાં અનુયોગનું વર્ણન કરેલ છે. અનુયોગનો અર્થ છે – સૂત્રને અનુકૂળ કે અનુરૂપ અર્થ કરવો. પરંતુ અહીં તેનો અર્થ છે – કોઈપણ વિષયનું વિસ્તૃત સર્વતોમુખી પ્રતિપાદન કરનાર પ્રકરણ. વિસ્તૃત વર્ણન રૂપ અનુયોગના અહીં બે વિભાગ કર્યા છે - મૂલપથમાનુયોગ અને ખંડિકાનુયોગ. મૂલuથમાનુયોગમાં તીર્થકરોના વિષે વિસ્તૃત રૂપે નિરૂપણ કરેલ છે. સમ્યક્ત્વ પ્રાપ્તિથી લઈને તીર્થંકરપદની પ્રાપ્તિ સુધીના તેમના ભવોનું અને જીવનચર્યાનું વર્ણન કરેલ છે, જે સૂત્રપાઠથી પણ સ્પષ્ટ થાય છે. rfથાનુન :- ‘ગંડિકા'નો અર્થ છે વિભાજન, વિભાગ અને ‘અનુયોગ'નો અર્થ અહીં વિસ્તાર છે. તેથી ચંડિકાનુયોગનો અર્થ થયો ક વિષયોના વિભાજન સાથે વિસ્તૃત વર્ણન જેમા હોય તે ગંડિકાનુયોગ કહેવાય છે. આ વિભાગમાં વિવિધ વિષયોનું ખૂબ જ વિસ્તારથી વર્ણન હોય છે. જેના ઘણાં નામ સૂબમાં આપેલ છે. અંતમાં શ્વમાડ્યા શબ્દથી બીજા પણ ઘણા વિષયોનો સંકેત
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy