SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૪૭૮ થી ૧૫૧૦ ૧૯૧ છે. સ્નિગ્ધ તેથી આદિવત છે અને રૂક્ષ તે ભૂતિ આદિવત્ છે. -૦- હવે ઉપસંહાર કહે છે - આ પ્રમાણે સ્પર્શ પરિણત આ સ્કંધ આદિ અને પૂરણ - ગલન ધર્મથી પુગલો તીર્થકર આદિ વડે સમ્યક પ્રતિપાદિત થયેલા છે. જેના વડે સ્કંધ આદિ સમ્યફ સ્થિતિ રહે છે તે સંસ્થાન, તે રૂપ પણિત. હવે આ વર્ણાદિ પાંચેનો પરસ્પર સંવેધ કહે છે - વર્ણથી જે સ્કંધાદિ કૃષ્ણ હોય, તે વળી બંને ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી ભાજ્ય છે. આ અન્યતર રસાદિને યોગ્ય થાય છે. તે ભંગો આ પ્રમાણે છે (૧)અહીં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શી, પાંચ સંસ્થાન આ બધાં મળીને ૨૦ ભેદ થાય, તે કૃષ્ણવર્ણમાં આટલા ભંગો પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે (૨) નીલવર્ષમાં ૨૦ ભેદો, (૩) લોહિતમાં પણ ૨૦ ભેદો, (૪) પીતવર્ણમાં ૨૦ ભેદો, (૫) શ્વેતવર્ણમાં પણ ૨૦ મેદો એમ ૧૦૦ ભેદ થાય. ગંધથી - જે રૂંઘાદિ થાય તેમાં સુરભિ ભાજ્ય હોય, તે વર્ણથી કૃષ્ણાદિમાંનો કોઈપણ વર્ણવાળો થાય, એ પ્રમાણે રસથી અને સ્પર્શથી પણ ભાજ્ય છે, સંસ્થાનથી પણ ભાજ્ય છે. આ રસ આદિ ૧૮ છે, તે પાંચ વર્ષોથી મળીને શું ભેદ થાય છે, એ પ્રમાણે દગન્ત વિષયક પણ ૨૩ ભેદો જ થાય. તેથી બંને ગંધથી - ૪૬ - ભંગો પ્રાપ્ત થાય, રસથી - તિક્ત આદિ. જે સ્કંધો ભાજ્ય છે તે વર્ણ-ગંધ-સ્પર્શ અને સંસ્થાનથી ગણતા કુલ ૨૦ ભેદો થાય. એ પ્રમાણે કટુના - ૨૦, કષાયના - ૨૦, આમ્પના - ૨૦, મધરના - ૨૦ એ બધાં મળીને રસપંથકના ૧૦૦૦ ભેદ, સ્પર્શથી - કર્કશ. જેનાથી સંધાદિ ભાજ્ય છે. તે વર્ણ, ગંધ- રસ - સંસ્થાનથી પણ ભાજય છે. તે વર્ણાદિ કુલ- ૧૩ થશે. તેના ચોગથી ૧૭ ભંગો પ્રાપ્ત થશે. આવા - ૧૭ - ૧૭ ભંગો મૃદુ આદિ બીજા સાતે સ્પર્શથી ૧૩૬ જાણવા. સંસ્થાન-પરિમંડલસી જે વર્તે છે, તે સામાન્ય પ્રકમથી સ્કંધ છે, કેમકે પરમાણુના સંસ્થાનનો સંભવ નથી. તેને વર્ણ • ગંધ • સ અને સ્પર્શથી ભાજ્ય કરતાં આ વણદિને આશ્રીને ૨૦ - ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બાકીના વૃત્ત આદિ ચારે સંસ્થાનથી ૨૦ - ૨૦ ભેદો પ્રાપ્ત થતાં સંસ્થાનના ૧૦૦ ભંગો થશે. - એમ કુલ ૪૮૨ ભંગો થશે. આ પ્રમાણે પરિસ્થલ ન્યાયથી કહેલ છે, અન્યથા આ પ્રત્યેકના તારતમ્યથી અનંતત્વથી અનંતા ભંગો સંભવે છે. આ જે પરિણામનું વૈચિસ્ય છે, તે કેવળ આગમ પ્રમાણથી જ જાણવું. હવે ઉપસંહાર દ્વારથી ઉત્તરગ્રંથ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૧૧ - આ સંક્ષેપથી અજીવ વિભાગનું નિરૂપણ કરેલ છે. હવે ક્રમશઃ જીવ વિભાગનું હું નિરૂપણ કરીશ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy