SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણે જ ગતિ થાઓ. કેમકે સ્ત્રીને પણ પુત્રાદિ બંધન જ છે. ઇત્યાદિ • *. આ પ્રમાણે ચારેને પ્રવજ્યા સ્વીકામાં એક્વાક્યતા થતા શું થયું? • સૂત્ર - ૪૭૮ થી ૪૮૧ - પુત્ર સાને પત્ની સહિત પુરોહિતે ભોગોને ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલ છે, તે સાંભળીને તે ફ્યુબની પ્રચુર અને શ્રેષ્ઠ ધનસંપત્તિને ઇચ્છતા રાજાને સણી કમલાવતીએ કહ્યું : તમે બહાણ દ્વારા પરિરક્ત ધનને ગ્રહણ કરવાને ઇચ્છો છો, તે રાજન! વમનને ખાનારો પુરુષ પ્રશંસનીય હોતો નથી. સર્વ જગતુ અને તેનું સર્વ ધન પણ તમારે થઈ જાય તો પણ તે તમારે માટે અપરાપ્તિ જ થશે. જાને તે ધન તમારું રક્ષણ કરી નહીં શકે. હે રાજન ! એક દિવસ માં મનોજ્ઞ કામ ગણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મ જ સરાક થશે. હે નરદેવ આર્મી ધર્મ સિવાય બીજું કોઈ રક્ષા કરનાર નથી. • વિવેચન - ૪૭૮ થી ૪૮૧ - ભૃગુ નામક પુરોહિત, બંને પુત્રો અને પત્ની સહિત અભિનિષ્ક્રમણ કરી, ઘરથી નીકળી, પ્રકર્ષથી શકદાદિ ભોગોને ત્યજીને પ્રવજિત' થયાનું જાણી તેના પ્રધાન વિપુલ ધન ધાન્યાદિ, જે પુરોહિતે તાજેલા છે, તે ગ્રહણ કરવા ઇચછતા રાજાને વારંવાર સમ્યક્ વચન કહેતી તેની અગ્રમહિષી કમલાવતી શું કહે છે? ઉલટી કરેલાને ખાનારો પુરુષ, હે રાજન્ ! વિદ્વાનો વડે પ્રશંસિત ન થાય. તમે બ્રાહમણોએ તજેલા ધનને ગ્રહણ કરવા ઇચ્છો છો, તે વમેલાને ખાવા બરાબર જ છે. આપના જેવાને તે ઉચિત નથી. - ૪ - આખું જગત તમારું થઈ જાય, કદાચ આવું બની પણ જાય, અને બધું જ ધન - રજત, રૂણ આદિ દ્રવ્ય પણ તમારું થઈ જાય ત્યારે તે બધું પણ તમારી ઇચ્છાપૂર્તિને માટે અપર્યાપ્ત છે. કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. તથા આ સર્વ જગતનું ધન પણ જરા, મરણને દૂર કરનાર થવાનું નથી. - x- પૂર્વે આના વડે ગહાં ફરીને પુરોહિતના ધનાદિના અગ્રહણનો હેતુ અનુપકારિતા દેખાડીને હવે તેની અનિત્યતાને તેનો હેતુ કહે છે - હે સજન! જ્યારે મરીશ, પ્રાણોને ત્યજીશ. કેમકે જન્મેલનું મૃત્યુ અવશ્ય થવાનું છે, ત્યારે પણ કદાચિત અભિલપિત વસ્તુ મેળવીને મરીશ, તો પણ ઉકત રૂપ ચિત્ત આલ્હાદક કામગુણોને પ્રકર્ષથી ત્યજીને એક્લો જ મરીશ, તેમાંનું કંઈ તારી સાથે નહીં આવે. ત્યારે એક સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મ જ હે રાજન ! આપત્તિમાં પરિરક્ષણ કરવામાં સમર્થ થશે બીજું કંઈ જ નહીં. અર્થાત આ સ્વજન, ધન આદિ યુક્ત આ મૃત્યુ લોકમાં મુક્તિના હેતુપાણાથી ધર્મ જ એક ત્રાણ રૂ૫ થશે. બીજું કંઈ નહીં. તેથી ધર્મ જ અનુષ્ઠય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy