SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ આધ્ય. ૧૦ ભૂમિકા, દીક્ષા લે છે. વિશેષ એ કે ચોદપૂર્વે ભણ્યા. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ, મહાતપ આદિ કરતાં ઘણાં વર્ષો શ્રામાણ્યને પાળીને માસિકી સંલેખના કરીને ૬૦ ભક્તોને છેદીને યાવત્ સિદ્ધ થયા. કોઈ દિવસે તે સ્થવિરો પૂર્વાનુપૂર્વીથી વિચરતા ચાવતું પંડરીકિણી નગરીમાં પધાર્યા, પર્ષદા નીકળી, ત્યારે તે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજની સાથે આ વૃત્તાંત જાણીને હર્ષિત થયા યાવત ત્યાં ગયા. ધર્મકથા સાંભળી, યાવતુ તે પંડરીકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો ચાવત પાછો ફર્યો અને શ્રાવક થયો. ત્યારે તે કંડરીક યુવરાજે સ્થવિરો પાસે ધર્મ સાંભળ્યો, તે હર્ષિત થયો. ચાવત જે પ્રમાણે આપ કહો છો, તેમ જ છે. વિશેષ એ કે હે દેવાનુપ્રિય પુંડરીક રાજાને પૂછીને આવું. ત્યાર પછી દીક્ષા લઉં. સ્થવિરોએ કહ્યું- જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી તે કંડરીક યાવત્ સ્થવિરોને પ્રણામ કરીને, રવિરોની પાસેથી નીકળે છે. નીકળીને તે જ ચાતુર્ઘટ અરથ ઉપર આરૂઢ થાય છે. ચાવતુ પાછો આવે છે. આવીને જ્યાં પુંડરીક રાજા છે ત્યાં આવે છે. બે હાથ જોડીને ચાવતુ પંડરીક સજાને એ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય છે એ પ્રમાણે મેં સ્થવિરોની પાસે ચાવતુ ધર્મ સાંભળેલ છે. તે ધર્મ ઇસિત છે, પ્રતીણિત છે. અભિરૂચિત છે. હે દેવાનુપ્રિય ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભય પામ્યો છું. હું આપની અનુજ્ઞા પામીને સ્થવિરોની પાસે ચાવતું દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારે તે પુંડરીક રાજા આ પ્રમાણે બોલ્યો - હે દેવાનુપ્રિય તું હમણાં સ્થવિરોની પાસે યાવતુ દીક્ષા ન લે. હું પહેલાં તને મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરું. ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ અર્થનો આદર ન કર્યો, જામ્યો નહીં, મૌન જ રહ્યો. ત્યાર પછી કંડરીકે પુંડરીક સજાને બે-ત્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! હું ચાવતુ દીક્ષા લેવાને ઇચ્છું છું. ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને જ્યારે વિષયાનુકૂલ એવી ઘણી આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે પણ સમજાવી શકવા સમર્થ ન થયો, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ ભય-ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતો આ પ્રમાણે બોલ્યો - હે જાતક ! એ પ્રમાણે નિ આ સત્ય, અનુતર, કૈવલિક નિગ્રન્થ પ્રવચનમાં તથા પ્રતિક્રમણમાં બધાં દુઃખોનો અંત કરે છે, પરંતુ આ જિન પ્રવચન સર્પની જેમ એકાંત દૃષ્ટિવાળું, અસ્તરાની જેમ એકાંત ધારવાળ, લોઢાના જવ ચાવવા સમાન, રેતીના કવલની જેમ આસ્વાદ સહિત, ગંગા મહાનદી માફક પ્રતિશ્રોત ગમન રૂપ, મહાસમુદ્રની જેમ ભુજાઓ વડે તરવું દુષ્કર, તીણ એવી અસિની ધાર ઉપર ચાલવા સમાન અને તપનું આચરણ કરવા પણે છે. વળી શ્રમણ નિર્ચન્થોને પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શન શલ્ય, ન કહ્યું આધાકમ, શિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિ, કીત, પ્રમિય, આશ્લેધ, અનિઃસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, કાંતારભકત, દુર્મિક્ષભકત, ગ્લાનભi, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy