SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ નરક - પ્રાયોગ્ય કર્મો બાંધી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાંની વેદના વેદે છે. એ પ્રમાણે આલોક કે પરલોક સંબંધી પ્રજ્ઞાપકને આશ્રીને છે. તેમાં પ્રજ્ઞાપકનો મનુષ્યભવ આ લોક ગણવો. બાકીની ત્રણ ગતિ તે પરલોક ગણવો. હવે આ ગાથાનો સ- (રહસ્યાર્થ) કહે છે - અલ્પ પણ પ્રમાદ જનિત કર્મ - વેદનીય આદિ, કહેવાય છે જે નિયમથી બંધાય છે. વિશેષ એ કે • પ્રમાદથી ઘણાં અશુભ પરિણામવાળું ફળ મળશે. જેમકે - યશોધર આદિને થયું. આ નિર્વેદની કથાનો પરમાર્થ સંક્ષેપથી કહ્યો. હવે સંવેગ નિર્વેદનું નિબંધન કહે છે - સિદ્ધિ, દેવલોક અને સુકલ ઉત્પત્તિથી સંવેગ થાય છે. અર્થાત આની પ્રરૂપણાથી સંવેગ થાય. એ પ્રમાણે નરક, તિર્યચયોનિ, કુમનુષત્વાદિ દુ:ખજનક બતાવવાથી શ્રોતાને સંસારથી નિર્વેદ થાય છે. આ કથામાં જે જેને કહેવાની હોય તે કહે છે - વિનય વડે વર્તે તે નિયિક - શિષ્ય. તેને પહેલાં આક્ષેપણી કથા કહેવી. તેથી તેને સ્વ સિદ્ધાંતનું જ્ઞાન થાય, પણ વિક્ષેપણી કથા કહેવી. આમ શા માટે કરવું? આક્ષેપણી કથા વડે આવર્જિત થતાં તે જીવો સખ્યા પામે છે. તે મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમનો ઉપાય હોવાથી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે. વિક્ષેપણી કથામાં સમ્યકત્વની ભજના છે. કદાચ સમ્યકત્વ પામે અને કદાચ ન પામે. - ૪ - અથવા એમ ચિંતવે કે આ પરમનિંદક છે, તેથી પહેલાં આક્ષેપણી કથા કહેવી. • નિર્યુક્તિ • ૨૦૭ થી ૨૧૬ વિવેચન ઘર્મ - પ્રવૃત્તિ આદિરૂપ, અર્થ - વિધાદિ, કામ - ઇચ્છાદિ, જેમાં સૂગ તથા કાવ્યો કહેવાય છે તે મિશ્ર કથા જાણવી. તે લોકમાં તે સમાયણ આદિમાં, વેદમાં - યજ્ઞ ક્રિયાદિમાં, સિદ્ધાંત - તરંગવતી આદિમાં કહેલ છે, તે મિશ્રકથા છે. - x- તેનાં નામ કહેવાથી તે ચાર ભેદે છે. હવે વિકથા એટલે તવા યોગ્ય કથા કહે છે. પણ તેનું સ્વરૂપ જાણ્યા વિના ત્યાગ થવો અસંભવ છે. (૧) સ્ત્રીકથા - અમુક દેશની સ્ત્રીઓ આવી છે ઇત્યાદિ. (૨) ભોજન કથા - સુંદર શાલી - ઓદનાદિ રૂપ. (3) રાજકથા - અમુક રાજા સારો છે, આદિ. (૪) ચોરજનપદ કથા - આ જે યોર પકડાયો છે, તેને આ પ્રમાણે માય વગેરે. - ૮ - ૪ - ઇત્યાદિ વિકથા કહી. વિકથા - એટલે કથાના લક્ષણથી રહિત કે વિપરીત. હવે પ્રજ્ઞાપકની અપેક્ષાએ તેનું પ્રાધાન્ય કહે છે - ઉક્ત લક્ષણા કથા કહે તે પ્રજ્ઞાપક અવબોધક એટલે જાણનારો જ્ઞાતા તે ઉપદેશ કરે. પણ દાણા ભરડનાર જેવો નહીં. તે પોતે જ અજ્ઞાન હોવાથી નહીં સમજે. અકથા - હવે પછી તેનું સ્વરૂપ કહેવાશે તેવી તથા કહેવાયેલ સ્વરૂપવાળી જ વિકથા થાય છે, તે સાંભળનારની અપેક્ષાએ કથા અકથા થાય. અતવાવિકથા થાય છે. • x• પણ આ કથન શોભન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy