SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ રજ પડેલી, સુભદ્રાએ જીભ વડે તે રજ દૂર કરી. સુભદ્રાએ સિંદુરનું તિલક કરેલ. તે તપસ્વી સાધુના કપાળે ડાઘ લાગ્યો. બૌદ્ધ ઉપાસિકાએ તેના શ્રાવક પુત્રને બતાવ્યું. શ્રાવકે તે વાત માની લીધી. તે સુભદ્રાને અનુવર્તતો નથી. સુભદ્રાને તયું કે - ધર્મની નિંદા થાય છે, તે યોગ્ય નથી. તેણી કાયોત્સર્ગમાં સ્થિર થઈ. દેવ આવ્યો. તેણીએ કહ્યું - મારો આ અપયશ દૂર કરો. દેવ કહે છે - ભલે. હું આ નગર દરવાજા બંધ કરી દઉં છું, ઘોષણા કરું છું કે જે પતિવ્રતા હશે તે આ દ્વારો ઉઘાડશે. ત્યારે તું એક જ વાર દ્વાર ઉઘાડી શકીશ. તું સ્વજનના વિશ્વાસ માટે ચાલણીમાં પાણી લઈને છાંટજે, દ્વારો ઉઘડી જશે. દેવે તે પ્રમાણે નગરદ્વારોને બંધ કર્યા નગરજનોને અવૃતિ થઈ આકાશવાણી થઈ. જે શીલવતી ચાલણીમાં પાણી લઈને છાંટશે, અને એક પણ બિંદુ જમીન ઉપર નહીં પડે, ત્યારે દ્વાર ઉઘડશે. ઘણી શ્રેષ્ઠી પુત્રી, પુત્રવધુઓએ પ્રયત્ન કર્યો, દ્વાર ન ખૂલ્યા. ત્યારે સુભદ્રા સ્વજનોને પૂછીને ગઈ, યાલણીમાં પાણી લઈને દ્વાર ઉપર છાંટતા દ્વારો ઉઘડી ગયા. પછી નગરજનોએ તેનો સાધુવાદ કર્યો અને તેણીને મહાસતી જાહેર કરી. આ લૌકિક દૃષ્ટાંત છે. ચરણકરણાનુયોગને આશ્રીને વૈયાવચ્ચ આદિમાં શિષ્યગણને બોધ આપવો. ઉંધી કરવા. પ્રમાદ નિવારવો. આ લોકમાં શિયળનું આવું ફળ છે. આ અર્થને દર્શાવતા કહે છે - • નિયુક્તિ - ૩૪ વિવેચન સ્તુતિપૂર્વક જે રીતે સુભદ્રા સદ્ગુણકીર્તનથી લોકો વડે પ્રશંસાઈ, તેમ વૈયાવચ્ચ, સ્વાધ્યાયાદિ કર્મોને પણ અનુમોદવા. તેમના સદ્ગુણ ગાઈને તેમના ભાવોની વૃદ્ધિ કરવી. ભરત પણ પૂર્વભવે સુવિહિતોની વૈયાવચ્ચના ફળરૂપે ભરતનો અધિપતિ રાજા થયો. ભરતક્ષેત્રને ભોગવી, અનુત્તર શ્રામણ્યને અનુચરીને અષ્ટવિધ કર્મ મુક્ત થઈ તે મોક્ષે ગયો. - આ ઉદાહરણમાં તેનો દેશ ભાગ જ ઉદાહત કર્યો છે, કેમકે તેટલો જ ઉપયોગી છે. તથા અપ્રમાદવાળા વડે સાધુની આંખના કણાને દૂર કરવું તે કર્તવ્ય છે, એમ જણાવે છે. - × - ૪ - આ પ્રમાણે લૌકિક ચરણકરણાનુયોગને આશ્રીને દેશદ્વારમાં અનુશાસ્તિ દ્વાર કહ્યું. હવે દ્રવ્યાનુયોગને આશ્રીને કહે છે - • નિયુક્તિ - ૭૫ વિવેચન - દ્રવ્યાસ્તિકાય નય મતાવલંબી અન્ય દર્શની જીવ છે એવું માને છે અને કહે છે કે અમે પણ જીવને માનીએ છીએ, તેના અભાવમાં સર્વ ક્રિયાનું અકળપણું છે. પણ જીવ સુકૃત - દુષ્કૃત કર્મના ફળને અનુભવે છે. અકર્તા આત્માને તેનો અનુભાવ ન થાય. વળી મુક્ત જીવોને પણ સાંસારિક સુખ-દુઃખના વેદનની આપત્તિ આવે. જો આત્મા વિના પ્રકૃતિ એકલી જ કરતી હોય તો આત્મા ફળનો ભોક્તા પણ ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy