SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - વડે ત્યાં દેડકી મારી નાંખી. શિષ્યએ કહ્યું- આપે દેડકી મારી છે. તપસ્વી સાધુ બોલ્યા -રે દુષ્ટા આ તો ક્યારની મરેલી છે તે બંને ગયા. પછી સબિના આવાચકમાં આલોચના કરતાં તપસ્વી સાદુએ તે દેડકીન આલોચના ન કરી. ત્યારે શિષ્ય એ કહ્યું. હે પકા તે દેડતા માર્યાની આલોચના કરી. તપસ્વી સાધુ ક્રોધિત થયા. શિષ્યને મારવા બળખાનું વાસાણ લઈને દોડ્યા. જોરથી દોડતાં થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યા. મરીને જ્યોતિષ્ક દેવ થયા. ત્યાંથી વીને દષ્ટિવિષ કુળમાં સર્પ થયા. કોઈ રાજપુત્ર કરતો કરતો ત્યાં આવ્યો. સર્પ તેને હસ્યો. સાપ પકડનારે વિધા વડે બધાં સર્પોને બોલાવ્યા. મંડલમાં પ્રવેશ કરાવીને કહ્યું. બાકીના બધાં સર્પો ચાલ્યા જાઓ, જે રાજપુત્રને ડમ્યો છે, તે જ સર્પ રહો. બધાં સર્પો ગયા, માત્ર એક સર્પ રહ્યો. વિધાજ્ઞાતા બોલ્યો - કાં તો આ ઝેર પી લે અથવા અગ્નિમાં પડ. તે સર્પ અગંધન જાતિનો હતો. સપમાં બે જાતિ છે. ગંધન અને અગંધન. અગંધન સોં માનવાળા હોય છે ત્યારે તે અગ્નિમાં પ્રવેશી ગયો. પણ તેણે વમેલ ઝેર ન પીધું. રાજપુત્ર પણ મરી ગયો. પછી રાજાએ રોષિત થઈ રાજ્યમાં ઘોષણા કરી - જે મને સાપનું મસ્તક લાવીને આપશે, તે હું દીનાર આપીશ. પછી લોકો દીનારના લોભથી સાપને મારવા લાગ્યા. તે સર્પ કુળમાં જ્યાં તે ક્ષપક તપસ્વી ઉત્પન્ન થયેલ તેણે જાતિ મરણથી રાત્રે જ નીકળતો, દીવસે નીકળતો ન હતો; જેથી તેનાથી જીવોનો ઘાત ન થઈ જાય કોઈ વખતે સાપ પકડનારને રાત્રિમાં ફરનારે આ કહ્યું. તેની સુગંધ વડે તેણે ક્ષપક - સર્પનું બિલ જોયું. ત્યાં ઉભો રહી ઔષધિથી બોલાવવા લાગ્યો. સર્ષે વિચાર્યું કે મેં ક્રોધનો વિપાક જોયો છે. જો હું અભિમુખ જઈશ, તો તે બળી જશે તેથી પુંછ વડે બહાર નીકળવાનું શરૂ કર્યું. તે સર્પ પકડનાર તેને છેદતો ગયો, મસ્તક સુધી ધો. તે સર્પ મરી ગયો. પણ તે દેવતા અધિઠિત સપ હતો, દેવતાએ રાજાને સ્ત્ર આપ્યું કે - “તું સર્પોને ન માર, તને નાગકુળથી ઉદ્ધતીને એક પુત્ર થશે. તે બાળકનું નાગદત્ત’ નામ કરવું તે ક્ષપક સર્પ મરીને, તે જ સજાનો પુત્ર થયો. બાળક જન્મતા તેનું નાગદત્ત’ નામ રાખ્યું. બાળપણામાં જ તેણે દીક્ષા લીધી. તે પૂર્વે તિર્યય હોવાથી તેના અનુભાવને લીધે તે ઘણો ખાઉધરો હતો. તે મુનિ પ્રભાત વેળામાં જ ખાવાનું આદરવો, તે છેક સૂર્યાસ્ત વેળા સુધી ખાતો. તે સ્વભાવથી ઉપશાંત અને ધર્મશ્રદ્ધી હતો. તે ગચ્છમાં બીજા ચાર ક્ષપક - તપસ્વી સાધુ હતા. તેઓ અનુક્રમે ચાર માસી, ત્રણ માસી, બે માસી અને એક માસી તપ કરતા હતા. રાત્રિના દેવ વંદન કરવાને આવી. ચારેને ઓળંગીને જઈને મુલક સાધુને વાંધા. પછી તે ક્ષપક - તપસ્વી રોષાયમાન થયા અને બોલ્યા - હે કટપૂતના ! અમને તપસ્વીને વાંદતી નથી અને આ ભાતખાનાને વંદે છે. તે દેવી બોલી - હું ભાવતપસ્વીને વાંદુ છું. પણ પૂજા-સત્કાર અભિમાનીને વાંદતી નથી. પછી તે પકો, તે ક્ષુલ્લક પ્રત્યે ઇર્ષા કરવા લાગ્યા. દેવી વિચારે છે કે - આ સાધુઓ ફુલની નિર્ભર્સના ન કરે, તેતી તેની નીકટ રહેવું. હું તેઓને પ્રતિબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy