SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ દશવૈકાલિકમૂલસૂબસટીક અનુવાદ માનને યોગ્ય તપસ્વી થઈ જિતેન્દ્રિય બનીને લોભ રહિત થાય છે, તે સાધુ જગતમાં પૂજય થાય છે. તે અનંતરોક્ત ગુના ગુણ સમુદ્ર સંબંધી પરલોકોપરકારિણી સુભાષિતો સાંભળીને મેઘાવી મુનિ પંચમહાવત, મનોગુપ્તિ આદિને આચરતો ક્રોધાદિ કષાય રહિત થાય તે પૂજ્ય છે. હવે ફળ બતાવી ઉપસંહાર કહે છે - આચાર્યાદિ રૂપ પૂજ્યોને આ મનુષ્યલોકમાં નિરંતર વિધિપૂર્વક આરાધીને, આગમમાં પ્રવીણ અભિગમ કુશળ મુનિ, પૂર્વકૃત આઠ પ્રકારના કર્મો ખપાવીને, જ્ઞાનતેજથી દીપતા, અનન્ય સદેશ સિદ્ધિ ગતિ પામે છે. અથવા જન્માંતરથી સંકુલમાં જન્મ પામીને મોક્ષે જાય છે. હજી આશ્ચયન - ૯ ઉદેશો - ૪ હવે ચોથો ઉદ્દેશાનો આરંભ કરે છે - • સૂત્ર - ૪૧, ૪૨ - આયુષ્યમાન ! મેં સાંભળેલ છે કે, તે ભગવતે આ પ્રમાણે કહ્યું છે કે - અહીં નિર્ચ સ્થવિર ભગવંતોએ ચાર વિનય સમાધિસ્થાન કહેલા છે. સ્થવિર ભગવતએ કયા ચાર વિનય સમાધિસ્થાન કહેલા છે ? - x • તે આ છે- વિનય સમાધિ, શત સમાધિ, તપ સમાધિ, આચાર સમાધિ જે જિતેજિસ છે, પડિત છે, પોતાના આત્માને સદા વિનય, શ્રત, તપ અને આયર, એ ચાર સમાધિ સ્થાનોમાં નિરત રાખે છે. • વિવેચન - ૪૧, ૪ર - સામાન્યથી કહેલ વિનયને વિશેષથી દર્શાવવા માટે આ કહે છે- હે આયુષ્યમાન! મેં સાંભળેલ છે કે, તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે ઇત્યાદિ જીવનિકાયમાં છે, તેમ કહેવું. આ ક્ષેત્ર કે પ્રવચનમાં બીજે પણ બીજા તીર્થકરના પ્રવચનમાં ગણધરો વડે અને ભગવંતો વડે વિનય સમાધિ રૂપ ચાર ભેદો પ્રરૂપેલ છે. ભગવંત પાસે સાંભળીને ગ્રંથ રૂપે રોલ છે. તે કેટલાં છે? - - વિનય સમાધિ આદિ ચાર છે. તેમાં સમાધાન તે સમાધિ. પરમાર્થથી આત્માનું હિત, સુખ અને સ્વાથ્ય જેના વડે થાય તે સમાધિ. વિનયમાં કે વિનયથી સમાધિ તે વિનય સમાધિ. એ પ્રમાણે બાકીના ત્રણેમાં કહેવું. આ જ વાત શ્લોકવડે સંગૃહિત કરી છે. વિકાય - યશોક્ત લક્ષણ, મૃતા - અંગ આદિ, તાપ - બાહ્ય આદિ, આચાર - મૂલગુણ આદિ. સર્વકાળ, સમ્યક્ પરમાર્થ વેદી, શું કરે છે? આત્માને અનેકાર્થત્વથી આભિમુખ્યતાથી વિનયાદિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy